શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તમારી હેલ્થમાં પણ કેટલાક નાના મોટા ફેરફાર આવી રહ્યા છે. સીઝનલ શરદી, ખાંસી સામાન્ય બની છે. આ સમયે જો તમે રસોઈમાં રહેતા આદુનું સેવન કરો છો તો તમારા માટે લાભદાયી બને છે, તેને તમે ચા, શાક, ઉકાળામાં ઉપયોગમાં લઈ શકો છો. આ સિવાય તમે તેની સૂંઠ બનાવીને તેનો પણ ઉપયોગ કરી શકો છો.
શિયાળામાં રોજ ખાઓ આદુ
એક નહીં મળશે 6 મોટા ફાયદા
જાણો કઈ તકલીફોમાં આપે છે રાહત
ઔષધિય ગુણોનો ભંડાર છે આદુ
આદુમાં આયર્ન, કેલ્શિયમ, આયોડીન અને વિટામીન સહિત અનેક પોષક તત્વો મળી રહે છે. ખાસ કરીને શરદી અને ખાંસીમાં તે રામબાણ ઈલાજ છે. ગળામાં ખરાશ હોય તો પણ આદુ ચાવવાથી ઝડપથી રાહત મળી રહે છે.
આદુ ખાવાથી થાય છે આ મોટા ફાયદા
ખાંસીને કરે છે દૂર
આદુ ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે. તેના ઉપયોગથી સીઝનમાં થતી ખાંસી અને ગળામાં ખરાશ જલ્દી દૂર થાય છે.
દવાની જેમ કરે છે કામ
આદુને ખાંસીની દવા માનવામાં આવે છે. જ્યારે ખાંસી આવે ત્યારે આદુના નાના ટુકડાને મધ સાથે ગરમ કરીને દિવસમાં 2 વાર ખાવાથી આરામ મળે છે.
ઇમ્યુનિટી કરે છે મજબૂત
આદુનું પાણી પીવાથી બોડીની ઈમ્યુનિટી વધે છે. સાથે જ તેના ઉપયોગથી શરદી- ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો રહે છે.
ભૂખ વધારે છે
આદુના નિયમિત સેવનથી ભૂખ ન લાગવાની સમસ્યામાં રાહત મળે છે. જો તમને ભૂખ ઓછી લાગે છે તો આદુને બારીક સુધારીને થોડું મીઠું નાંખીને દિવસમાં 1 વાર સતત 8 દિવસ સુધી ખાઓ. તમને પરિણામ દેખાશે.
પેટની સમસ્યામાં મળે છે રાહત
આદુને અજમા, સિંધવ મીઠું અને લીંબુના રસ સાથે મિક્સ કરીને ખાવાથી પાચન ક્રિયા સુધરે છે. તેનાથી પેટમાં ગેસ થતો નથી, ખાટા ઓડકાર આવવાનું પણ બંધ થાય છે.
દર્દમાં મળે છે રાહત
આદુમાં અનેક પોષક તત્વો હોય છે. તે શરીરને અનેક બીમારીથી બચાવે છે. સાથે તેના સેવનથી ઘૂંટણના દર્દમાં પણ રાહત મળે છે.