પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેલ્લા છ મહિનામાં મળેલી ભેટોની નીલામી કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ હરાજીમાં ભેટની કિંમત 200 રૂપિયાથી લઇને 2.30 લાખ સુધી હશે. દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ માર્ડન આર્ટમાં આ ભેટોનું પ્રદર્શન યોજાશે.
દિલ્હીની નેશનલ ગેલેરી ઓફ માર્ડન આર્ટમાં આ ભેટનું પ્રદર્શન લગાવવામાં આવ્યું છે.
આ નીલામીમાં મળેલા રૂપિયાનો ઉપયોગ નમામિ ગંગે યોજનામાં કરવામાં આવશે.
પ્રધાનમંત્રી મોદીને ઘણી પ્રકારની ભેટ જેમ કે પેન, શૃલ અથવા પ્રતીક ચિહ્ન વગેરે મળતા રહે છે. આ પ્રકારે પ્રધાનમંત્રી પાસે અઢળક ભેટ એકત્રિત થઇ ગઇ છે. હવે એની ઑનલાઇન હરાજી https://pmmementos.gov.in/ની વેબસાઇટ પર કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છેલ્લા છ મહિનામાં મળેલી ભેટોની નીલામી કરવામાં આવશે. 14 સપ્ટેમ્બરથી શરૂ થનારી આ હરાજીમાં ભેટની કિંમત 200 રૂપિયાથી લઇને 2.30 લાખ સુધી હશે. દિલ્હીની નેશનલ ગેલેરી ઑફ માર્ડન આર્ટમાં આ ભેટોનું પ્રદર્શન યોજાશે. આ નીલામીમાં મળેલા રૂપિયાનો ઉપયોગ નમામિ ગંગે યોજનામાં કરવામાં આવશે.
હરાજીથી જોડાયેલી ખાસ વાતો... કુલ 2772 ભેટ ખરીદવાની મળશે તક
3 ઓક્ટોબર સુધી ચાલનારી આ હરાજીમાં કુલ 2772 ભેટ સામેલ કરવામાં આવી છે. આ ભેટ આઇટમમાં એક નાની ગણેશ જી ની મૂર્તિ છે. જેની કિંમત 200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આવી જ રીતે બનારસના બુનકરો દ્વારા પીએમ મોદીનું એક પેન્ટિંગ તૈયાર કર્યું હતું જેની કિંમત 2.30 લાખ રાખવામાં આવી છે. આ એક રેશમી કાપડ પર બનાવવામાં આવેલું ચિત્ર છે.
આ હરાજીમાં જે પણ વ્યક્તિ વધારે બોલી લગાવશે, એ આ ખાસ ભેટને પોતાના ઘરે લઇ જશે. એમાં તમામ પ્રકારની તલવાર છે તો મહારાણા પ્રતાપથી લઇને શિવાજીની મૂર્તિ પણ છે. એમાં ફાઉન્ટેન પેન, ટી સેટ, ચીનની માટીના વાસણ, મંદિર અને વિષ્ણુ અને ભગવાન ગણેશજીની પ્રતિમા, પેન્ટિંગ અને પુસ્તકો વગેરેનો સમાવેશ થાય છે.
પહેલા પણ થઇ ચુકી છે હરાજી
પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભેટોની હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં 1900 ભેટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ હરાજીમાં પ્રાપ્ત થયેલા રૂપિયાને પણ નમામિ ગંગા પ્રોજેક્ટમાં કરવામાં આવ્યા હતા.
આ પહેલા પણ પ્રધાનમંત્રીની ભેટોને 2015માં ગુજરાતની સુરત શહેરમાં હરાજી કરવામાં આવી હતી અને આ હરાજીમાં 8.55 કરોડ રૂપિયાની આવક થઇ હતી. પ્રધાનમંત્રીએ એ રકમને નમામી ગંગે મિશનમાં દાન કરી દીધા હતા.