છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કૃષ્ણપુરા વસાહતમાં મોટા ભાગના હેડન્ડ પમ્પ બગડી જતા એક હેન્ડપપ પર કાળજાળ ગરમીમાં 500થી વધુ લોકો પાણી ભરવાની નોબત આવી છે. જ્યારે ગામમાં લગ્ન અને જમણવાર માટે પાણી ખૂટી જતા ગામની મહિલાઓએ વરરાજાનો વટ જાય નહીં તે માટે વરરાજાને પાણી દાન કર્યું હતું. જોઇએ સમગ્ર અહેવાલ.
ઉનાળો આકરો બનતા છોટાઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર પાણી માટે વિકટ સમસ્યાઓ સર્જાઈ છે .લોકોને દૂર દૂર જઈને પાણી ભરવાની નોબત આવી. સંખેડા તાલુકાના કૃષ્ણ પુરા વસાહત આવેલી છે, જેમાં 500થી વધુ વસ્તી ધરાવતું ગામ આવેલું છે. હાલ ગામમાં જેટલા પણ હેંન્ડ પમ્પ છે તે બંધ હાલતમાં છે. ગામમાં માત્ર એક હેડ પંપ ચાલુ છે. એક બોર છે, પરંતુ બોર તો લાઈટ હોય તોજ પાણી આવે નહીં તો આખી ગામની મહિલાઓ ગામનો એક હેન્ડ પમ્પ છે ત્યાં આવે છે.
પાણી ભરવા જાય કલાકો લાઈનમાં ઉભી રહે તો બે ડેગળા પાણી માટે કલાકોનો સમય કાઢવો પડે છે, જેથી સમયે ઘરનું કામ થતું નથી અને પાણીની વિકટ સમસાયને લઈ ગામમાં પશુઓની હાલત કાફોળી છે, પશુઓ માટેના હવાળા સૂકા ભટ્ટ થઈને પડ્યા છે. ગામમાં હાલ એક લગ્નન હોય તો માંડવે આવનાર મહેમાનો માટે વરરાજા પક્ષે જમણ વાર બનાવવાનું હોય, પરંતુ ગામમાં પાણી ન હોવાથી રસોઈ માટે પૂરતું પાણી ન હતું આ વાત લગ્નના માંડવા નજીક પાણી ભરવા આવેલી મહિલાઓના કાને પડી જેથી મહિલાઓએ ઘર કામ અને પીવામાટે ભરવા આવેલુ પાણી વરરાજાના માંડવે જઈને દરેક ગામની મહિલાઓએ એક એક પાણી દાન વરરાજાને કર્યું.
મહિલાઓએ પાણી દાન કરતાં જમવા બનવવા માટે પાણી પૂરતું થયું ગામમાં લગ્ન હોય અને આવનાર મહેમાંનો સામે નીચું જોવાનું ન થાય તેથી વરરાજાનો વટ રાખવા માટે ગામની મહિલાઓએ પાણી દાન કરતા વરરાજાએ ગામની મહિલાઓએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.