બીજેપી સાંસદ હંસ રાજ હંસએ કહ્યું કે દિલ્હીમાં સાક્ષીની હત્યાના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા, ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંસદસભ્ય હંસ રાજ હંસ આજે શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષીના પરિવારને મળવા પહોંચ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મે એટલે કે આજે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે. આજે બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી.
વરસાદ અને ભારે પવનને લઈને કરવામાં આવેલી હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો, તો ક્યાંક ધૂળની ડમરી ઉડી રહી હતી. ભારે પવનના કારણે અનેક વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી. તેની સાથે જ ઉત્તરી મધ્યપ્રદેશમાં ટ્રફ સર્જાયું હતું. જ્યારે પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે. આ ત્રણ સિસ્ટમને કારણે ગુજરાતમાં છેલ્લા 2 દિવસ વરસાદ વરસી રહ્યો છે. આજે સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ અને ગાંધીનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિને નવ વર્ષ પૂર્ણ કરી રહી છે. મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભાજપ દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન શરૂ કર્યો છે. આ જનસંપર્ક અભિયાનનું સૂત્ર ‘નવ સાલ... બેમિસાલ’ રાખવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમ ગુજરાતમાં પણ યોજાશે, લોકસભા વિસ્તારો પ્રમાણે કાર્યક્રમોને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને વિશેષ જવાબદારી સોંપાઈ છે. લોકસભાની ચૂંટણીને લઈ કેટલાક નેતાઓને જવાબદારી સોંપાઈ છે. ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓને લોકસભા વિસ્તારોમાં કાર્યક્રમોને લઈ જવાબદારી સોંપાઈ છે. મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થતા કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને લઈ લોકસભા વિસ્તારને પ્રમાણે ગુજરાતના સિનિયર નેતાઓને જવાબદારી સોંપાઈ છે. પૂર્વ CM વિજય રૂપાણી, પૂર્વ DyCM નીતિન પટેલને તેમજ જીતુ વાઘાણી, વિનોદ ચાવડા અને ભારતી બેન શિયાળને જવાબદારી સોંપાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારનાં નવ વર્ષ પૂર્ણ થવા પર દરેક લોકસભા મતવિસ્તારમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. આ અભિયાન 30 મેથી એટલે કે આજથી 30 જૂન સુધી ચાલશે.લોકસભા ચૂંટણીને લઇ ભાજપે તૈયારી શરૂ કરી છે. દિલ્લીની 7 લોકસભાની બેઠકો માટે ગુજરાતના પૂર્વ CM વિજય રૂપાણીને જવાબદારી સોંપાઇ છે. 3 બેઠકો ચાંદની ચોક ,નોર્થ ઇસ્ટ અને ઇસ્ટ સીટના પ્રભારી બનાવ્યા છે જ્યારે કેન્દ્રીય મંત્રી એસ જયશંકરને 4 બેઠકોની જવાબદારી સોંપવામા આવી છે. જેમાં દક્ષિણ, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને નવી દિલ્હી બેઠકોના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 16મી સિઝનની ફાઈનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઇ સુપર કિંગ્સ પોતાની પાંચમી ટ્રોફી જીતી ગયું છે. રવિવાર 28મેના રોજ વરસાદના કારણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ મોકૂફ રાખવી પડી હતી, ત્યારે ગઇ કાલે રિઝર્વ ડે પર મેચ રમાઇ હતી. રવિવારે અને ગઇ કાલે મેચ જોવા માટે એક લાખથી વધુ ક્રિકેટ રસિયા આવ્યા હતા. જેમાં મેઘરાજાએ મજા બગાડી હતી સાથે સાથે કેટલાક તસ્કરોએ પણ ક્રિકેટ રસિયાની મજા બગાડી હતી. તસ્કરો દર્શક બનીને મેચ જોવા માટે આવ્યા હતા અને લોકોના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હતી. એક અંદાજ મુજબ ગઇ કાલે 50થી વધુ લોકોના મોબાઇલ ફોન ચોરાયા છે જેમાં પાંચ ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વેજલપુરમાં રહેતા રાજેશ તિવારી, બોપલમાં રહેતા રાહુલ ગાંધી, ઇશાન મલ્હોત્રા તેમજ સુરતમાં રહેતા અભિ કારિયા અને નારણપુરામાં રહેતા મૌલિક જસાણીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની ફરિયાદ કરી છે. પાંચેય યુવકો રવિવારે આઇપીએલની ફાઇનલ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવ્યા હતા. એક લાખથી વધુ કેપેસિટી ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગઇ કાલે ક્રિકેટ રસિયાઓથી ખીચોખીચ ભરાઇ ગયું હતું. મેચ ચાલુ થવાના કલાકો પહેલાં અમદાવાદી સહિત ગુજરાતના વિવિધ ખૂણેથી ક્રિકેટ રસિયાઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ક્યારેક કોઇક દિવસ ગુજરાત માટે ગોઝારો પણ સાબિત થતો હોય છે. ત્યારે આજે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના ઘટી છે. ધંધુકા-બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય 2ની હાલત ગંભીર છે.મળતી માહિતી અનુસાર, બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે હવે આરોપીઓની ધરપકડ કરીને પોલીસ દ્વારા આજે ધારાની હત્યાકાંડ મામલે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાયું છે. આજે તમામ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરાયું હતું. જે અંતર્ગત આરોપી સૂરજ ભુવાને રિ-કન્સ્ટ્રક્શન માટે સુરેન્દ્રનગર લઈ જવાયો હતો. મહત્વનું છે કે, અત્યારે આરોપી સૂરજ ભુવા સહિત અન્ય આરોપીઓ છે 4 દિવસના રિમાન્ડ હેઠળ છે. દેશમાં ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવા બનાવ અવારનવાર સામે આવે છે. ત્યારે અમદાવાદમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર માટે તેવી રીતે હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીનું અપહરણ કરી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સુરજ સોલંકી, એક મહિલા સહિત 8 લોકોની ધરપકડ કરી છે.
રાહુલ ગાંધી અમેરિકા પહોંચી ગયા છે. સૌથી પહેલા રાહુલ ગાંધીએ કૈલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કો શહેરથી તેમની યાત્રાની શરુઆત કરી હતી. મંગળવારે રાતે તેઓ સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પર ઉતર્યાં હતા. રાહુલ ગાંધી ટી-શર્ટ પહેરીને સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ ઉતર્યાં હતા. એરપોર્ટ પર સામ પિત્રોડા સહિતના બીજા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. રાહુલ ગાંધી પાસે રાજકીય પાસપોર્ટ ન હોવાથી તેમની એક સામાન્ય પ્રવાસીની જેમ જ એરપોર્ટ પર તપાસ કરાઈ હતી. સંસદનું સભ્યપદ રદ થયા પછી રાહુલ ગાંધીનો રાજકીય પાસપોર્ટ પણ રદ થઈ જતા તેમને સામાન્ય પાસપોર્ટ ઈસ્યુ થયો હતો જેને કારણે એરપોર્ટ પર તેમની આકરી તપાસ થઈ હતી જેને માટે રાહુલને એરપોર્ટ પરથી નીકળતા ખૂબ વાર લાગી હતી. રાહુલ ગાંધીનો અમેરિકાના ઘણા શહેરોમાં કાર્યક્રમ છે. 4 જૂનના રોજ તેઓ ન્યૂયોર્કમાં વસતા ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કરશે. ગાંધી સાન ફ્રાન્સિસ્કોની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ તેઓ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરશે અને સાંસદો અને થિંક ટેન્ક્સ સાથે બેઠક કરશે.
VIDEO | Congress leader Rahul Gandhi reaches San Francisco in the United States.
કુશ્તી સંઘના અધ્યક્ષ બ્રજભૂષણ પર યૌન શોષણના આરોપ લગાવીને તેમની ધરપકડની માગણીએ ધરણા કરી રહેલા પહેલવાનો છેલ્લા પગલાં તરીકે પોતાના મેડલ ગંગામાં વહાવી દેવા માટે હરિદ્વાર પહોંચ્યાં હતા અને હર કી પૌડીમાં તેઓ મેડલ ભરેલી બેગ લઈને આવ્યાં હતા અને મેડલ નાખવા જતા જ હતા પરંતુ તે પહેલા ખેડૂત નેતા નરેશ ટીકૈત ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે પહેલવાનોને મેડલ ગંગામાં નાખતા અટકાવ્યાં હતા અને તેમની મેડલ ભરેલી બેગ તેમની પાસેથી લઈ લીધી હતી. નરેશ ટીકૈતે પહેલવાનો પાસેથી 5 દિવસનો દિવસ સમય માગ્યો છે. એટલે તેમણે સરકારને પાંચ દિવસનો સમય આપ્યો છે પાંચ દિવસ બાદ કોઈ મોટો નિર્ણય લેવાની પણ વાત કરવામાં આવી છે.
#WATCH | Crowd gathers around protesting wrestlers in Haridwar who have come to immerse their medals in river Ganga as a mark of protest against WFI chief and BJP MP Brij Bhushan Sharan Singh over sexual harassment allegations. #WrestlersProtestpic.twitter.com/YhN1oxOFtr
રવિવારે રાજધાની દિલ્હીમાં સાહિલ નામના યુવકે તેની 16 વર્ષની ગર્લફ્રેન્ડની નિર્દયતાથી હત્યા કરી હતી. યુવતીની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. જે બાદ પોલીસે 24 કલાકમાં તેની ધરપકડ કરી હતી. આ દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ગુજરાતમાં કથા કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે બહેનોની હાલત જોઈને કોઈનું પણ લોહી ઉકળી જશે અને જેનું લોહી ઉકળે નહીં તે મરી ગયા છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે અમે સમાચાર વાંચીએ છીએ, સમાચાર વાંચીને અમારું દિલ દુખી છે. લોકો અમને કટ્ટરપંથી કહે છે. પરંતુ જ્યારે આપણે આપણી બહેનોની આ હાલત જોઈશું તો કદાચ આ દુનિયામાં કોઈ એવો ભાઈ હશે જેનું લોહી ઉકળે નહીં. જેનું લોહી ઉકળતું નથી તે જીવતે જીવ મરી ગયા છે. તેથી જ અમે સનાતન પર વિશ્વાસ કરીએ છીએ. આપણું સનાતન આપણને મારવાનું નહિ પણ બચાવવાનું શીખવે છે.
બીજેપી સાંસદ હંસ રાજ હંસએ કહ્યું કે દિલ્હીમાં સાક્ષીની હત્યાના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના સંસદસભ્ય હંસ રાજ હંસ આજે શાહબાદ ડેરી વિસ્તારમાં સાક્ષીના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ પરિવારને મળ્યા બાદ સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે આ સમાચાર સાંભળીને વડાપ્રધાન મોદી ભાવુક થઈ ગયા. PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી બીજેપી નેતા વીરેન્દ્ર સચદેવા અને મને સાક્ષીના પરિવારને મળવા મોકલ્યા છે. સાંસદ હંસ રાજ હંસે કહ્યું કે પોલીસને મળ્યા બાદ અમે આ પરિવાર માટે ખાસ વ્યવસ્થા કરીશું.દિલ્હીમાં સાક્ષી હત્યા કેસના આરોપી સાહિલની ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ધરપકડ કરવામાં આવી છે. રવિવારે સાહિલે 16 વર્ષની સગીર સાક્ષીની ચાકુના ઘા મારીને નિર્દયતાથી હત્યા કરી હતી. આ પછી તે ફરાર થઈ ગયો હતો અને બુલંદશહેરમાં તેની માસીના ઘરે છુપાઈ ગયો હતો. પોલીસથી બચવા સાહિલે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. જોકે, સાહિલના કોલ રેકોર્ડના આધારે દિલ્હી પોલીસે તેની બુલંદશહેરથી ધરપકડ કરી હતી.
#WATCH | "...I have spoken with the Police...You will not be able to watch the complete video (of the crime) if you are a parent, you will not be able to sleep..," says BJP MP Hans Raj Hans.
26 મે 2023ના રોજ ભારતમાં PM મોદીના બીજા કાર્યકાળ સહિત 9 વર્ષ પૂર્ણ થયા છે. વાત જાણે એમ છે કે, નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન દેશમાં ઘણા મોટા ફેરફારો થયા છે. તેમાંથી શિક્ષણ, આરોગ્ય, કૌશલ્ય વિકાસ, વિદેશ નીતિ સહિતના ઘણા ક્ષેત્રોમાં ઘણું કામ થયું , જેણે ભારતના વિકાસની ગતિને વેગ આપ્યો છે. દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબી કડક પ્રશાસક તરીકેની છે. તેઓ જે કરવાનું નક્કી કરે છે તે કરે છે. તેમના 9 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે મોટા ફેરફારો કરીને દરેક ક્ષેત્રને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો જેથી દેશ પ્રગતિ કરી શકે.