ભાવનગરના ઘોઘા અને દહેજ વચ્ચે ચાલતી રોરો ફેરીની સેવા આવતીકાલથી 15 દિવસ માટે બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે. બપોરે બાદ છેલ્લી ટ્રિપ રવાના થયા પછી આગામી 5 જુલાઈ સુધી બંધ રહેવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દહેજમા ડ્રેજિંગની સમસ્યા અને દરિયાના હેવી કરન્ટ તેમજ ટેક્નિકલ કારણો આગળ ધરી રોરોફેરી સેવા બંધ કરી દેવામાં આવે છે જો કે આ વખતે સરકારી નિયમો અને જીએમબીના આદેશ અનુસાર એનયુલ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ આ ફેરી ચાલુ કરવા સનચાલકો ને જણાવ્યું છે.
વાવાઝોડાને લઇ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ બંધ
ભાવનગર અને ભરૂચ વચ્ચે ચાલતી ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી એકવાર બંધ કરવામાં આવી છે. ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસ વાવાઝોડાને પગલે બંધ રાખવામાં આવી છે.
શું છે ખાસિયત
આ સેવાની શરૂઆત થતા ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટી માઈલનું અંતર જહાજ માત્ર એક કલાકમાં પુરુ કરી શકાશે. રો-રો ફેરીમાં ટ્રક બસ મોટર કાર અને બાઈક પણ લઈ જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારના ક્લાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ ક્લાસ એક્ઝીક્યુટીવ કલાસ અને ઇકોનોમી કલાસનો સમાવેશ થાય છે.
૨૦૧૨ માં થયું હતું ખાત મહુર્ત
આપને જણાવી દઇએ કે આમ તો ૨૦૧૨ માં ખાત મહુર્ત થયું ત્યારે આ કામ ૧૫ માસમાં એસર કંપની પૂરું કરશે તેમ જણાવ્યું હતું પરંતુ અનેક વિધ્ન વચ્ચે આ કામ ૫ વર્ષે પૂરું થયું હતું. માત્ર ૨૦૧૮ વિધાનસભાની ચુંટણીને ધ્યાને રાખી સરકારે ૨૦૧૭ માં ઓક્ટોબરમાં અપૂરતા સાધનો અને અપૂરતી સુવિધાની વચ્ચે રો-રો પેસેન્જર સેવા શરુ કરાવી દીધી હતી.