ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી ચલાવવામાં આવતી રો-રો ફરેી સર્વિસ ફરી બંધ કરી દેવામાં આવી છે. દહેજમાં જહાજને પાણીનો ડ્રાફ્ટ ન મળતાં સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગરમાં ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરી બંધ
અનિશ્વિત સમય સુધી સેવા બંધ કરવામાં આવી
દહેજમા જહાજને પાણીનો ડ્રાફ્ટ ન મળતા સર્વિસ બંધ
અનિશ્ચિત સમય સુધી રો-રો ફેરી સર્વિસ ફરી બંધ
ભાવનગરના ઘોઘો થી દહેજ સુધી ચાલતી રો-રો ફેરી સર્વિસ વારંવાર કોઇ કારણોસર બંધ કરવામાં આવે છે. આ વખતે દહેજમાં જહાજને પાણીનો ડ્રાફ્ટ ન મળતા રો-રો ફેરી સર્વિસ અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવી છે.
રો-રો ફેરી સર્વિસ મેન્ટેન્સને લઇને કરાઇ હતી બંધ
રો-રો ફેરી સર્વિસ ગમે ત્યારે કોઇપણ કારણોને લઇને વારંવાર બંધ કરી દેવામાં આવે છે. આ અગાઉ દહેજમાં ડ્રેજિંગની સમસ્યા તેમજ ટેક્નિકલ કારણો આગળ ધરી રો-રો ફેરી સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એન્યૂઅલ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ફરી ચાલુ કરવામાં આવશે.
રો-રો ફેરી સર્વિસ વારંવાર કેમ કરવી પડે છે બંધ?
ભાવનગર અને ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ સસ્તા દરે સલામત યાત્રા કરતાં અવારનવાર વિધ્નોથી અટકાતી સર્વિસ તરીકે વધારે જાણીતી બની છે. 2012માં આ યોજનાનો શિલાન્યાસ થયો ત્યારથી માંડી અત્યાર સુધી આ સેવા વિવિધ કારણોથી અનેક વખત ડચકાં ખાઇ ચૂકી છે. ક્યારેક પોન્ટુનના નામે, તો ક્યારેક ડ્રેશજગનાના નામે, તો ક્યારે લિંકસ્પાનાનના નામે આજસુધી અનેક વખત બંધ કરવામાં આવી છે અને આ સર્વિસનો અનેક વખત શુભારંભ કરવો પડ્યો છે.