ભાવનગરમાં રો-રો ફેરી શરૂ થવામાં એક પછી એક વિધ્નો આવી રહ્યાં છે. યેન કેન પ્રકારે રો-રો ફેરી ચાલુ થતી નથી. પહેલા માનવ સર્જિત મુશ્કેલી અને હવે કુદરતી મુશ્કેલીનો ભોગ બની રહી છે રો-રો- ફેરી સર્વિસ. આ સર્વિસ 31 ઓક્ટોબર સુધી હવે શરૂ થઇ શકશે નહીં.
ભાવનગરમાં રો-રો ફેરીને લઇ આવ્યા સારા સમાચાર
31 ઓક્ટોબર બાદ થઇ શકે ફરીવાર શરૂ
રો-રો ફેરીના કોન્ટ્રકટરે આ સેવા શરૂ કરવા પર નિવેદન આપ્યું હતું અને જણાવ્યુ હતું કે દહેજ ખાતે જહાજ માટે પૂરતું ઉંડાણ નહીં મળતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જહાજ માટે ડ્રાફ ન મળતા હાલ સેવા શરૂ થઇ શકશે નહીં.
રો-રો ફેરી શરૂ થાય તો હિરા ઉદ્યોગને થઇ શકે ફાયદો
રો-રો ફેરી શરૂ થાય તો ભાવનગર અને સુરતમાં વસતા હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌને ફાયદો થશે. તેમજ લોકો ઓછા સમય, રૂપિયે આ મુસાફરીનો લાભ લઇ શકશે. આ સેવાને કોઇને કોઇ કારણોસર મુશ્કેલીમાંથી ઉગારવાના પ્રયાસ થતા નથી અને આ સેવા ન શરૂ થાય તે અંગે કોઇ મેલી મનશા હોય તેવું સ્પષ્ટ જણાઇ રહ્યું છે.
રો-રો ફેરી સર્વિસ મેન્ટેન્સને લઇને કરાઇ હતી બંધ
રો-રો ફેરી સર્વિસ ગમે ત્યારે કોઇપણ કારણોને લઇને વારંવાર બંધ કરી દેવામાં આવે છે. આ અગાઉ દહેજમાં ડ્રેજિંગની સમસ્યા તેમજ ટેક્નિકલ કારણો આગળ ધરી રો-રો ફેરી સેવા બંધ કરી દેવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે એન્યૂઅલ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ ફરી ચાલુ કરવામાં આવશે.
રો-રો ફેરી સર્વિસ વારંવાર કેમ કરવી પડે છે બંધ?
ભાવનગર અને ઘોઘા વચ્ચે ચાલતી રો-રો ફેરી સર્વિસ સસ્તા દરે સલામત યાત્રા કરતાં અવારનવાર વિધ્નોથી અટકાતી સર્વિસ તરીકે વધારે જાણીતી બની છે. 2012માં આ યોજનાનો શિલાન્યાસ થયો ત્યારથી માંડી અત્યાર સુધી આ સેવા વિવિધ કારણોથી અનેક વખત ડચકાં ખાઇ ચૂકી છે. ક્યારેક પોન્ટુનના નામે, તો ક્યારેક ડ્રેજિંગનાના નામે, તો ક્યારે લિંકસ્પાનાનના નામે આજસુધી અનેક વખત બંધ કરવામાં આવી છે અને આ સર્વિસનો અનેક વખત શુભારંભ કરવો પડ્યો છે.