ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. હીરણ, કપીલા અને સરસ્વતી નદીના પાણી ત્રિવેણી સંગમ પર પહોંચ્યા છે. ત્રણેય નદીઓમાં પૂર આવતા ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. તો સરસ્વતી નદીમાં ઘોડાપૂરથી પ્રાચીતીર્થ મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જ્યારે ઉપરવાસમાં વરસાદથી માધવરાય મંદિર નદીના પ્રવાહમાં જળમગ્ન થયું છે.