પ્રાચીન ભારતીય સંસ્કૃતિ આજે માત્ર ગામડાઓ માં જ સચવાયેલી છે. દક્ષિણ ગુજરાત ના આદિવાસી સમાજ ની કેટલીક પરંપરાઓ આજે પણ અંતરિયાળ ગામડાઓ જોવા મળે છે . ખેતી પર નભતા ખેડૂતો ખેતર માં પાકની કાપણી બાદ ઘેર નૃત્ય કરી માતાજીના આશીર્વાદ મેળવે છે
ઘેરૈયા દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ આખું વર્ષ ફળે
તાલ બદ્ધ અને લયથી ગવાતા ગરબાથી સંસ્કારો નું પણ સિંચન
જોકે ઘેરૈયા નૃત્યને દેશી ભાષા માં ઘેર કહેવાય
દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં આજે પણ આદિવાસી સમાજ ના લોકો દિવાળી અને નવા વર્ષ ના પાવન અવસરે ઘેર રમે છે. ગામના ધનાઢ્ય લોકો તેમને ઘોર રમવા આમંત્રણ આપે છે. મહાભારત ના સમયથી રમાતી ઘેર આજે પણ વલસાડના ગ્રામીણ વિસ્તારો માં લોકોની આસ્થા નું પ્રતીક છે.
ઘેરૈયા કરે છે નૃત્ય
અનોખા પોશાક પહેરી ને માતાજી ની સ્તુતિ ગાઈ રહેલ આ લોકો જે નૃત્ય કરી રહયા છે તેને ઘેરૈયા નૃત્ય કહેવાય છે. દક્ષિણ ગુજરાત માં વસતા આદિવાસી અને કોળી પટેલ સમાજ ના લોકો ખેતર માં પાક ની કંપની બાદ નવું ધાન્ય માતાજી ને અર્પણ કરે છે. માતાજી ને આજીજી કરે છે કે અમારા અનાજ ના ભંડાર અખૂટ રહે.
જોકે ઘેરૈયા નૃત્ય ને દેશી ભાષા માં ઘોર કહેવાય
મહાભારતના કાળ થી રમાતી ઘોર આજે લુપ્ત થવા જઈ રહી છે. જોકે દિવાળી અને નવા વર્ષ નિમિતે આજે પણ વલસાડના ગ્રામીણ વિસ્તારો માં કેટલાક સમાજ માં યુવાનો અને વડીલો ઘેર રમે છે. દેવી દેવતા ઓ ને રીઝવવા ઘોરીયા લોકો અનોખો પહેરવેશ ધારણ કરે છે. વચ્ચે એક સ્તુતિ ગાનાર વડીલ હાથ માં રંગબેરંગી છત્રી રાખી ઘોરીયા એક કુંડાળું કરે છે અને ખુબ જ આસ્થા સાથે માતાજીની સ્તુતિ ગાય છે.
વલસાડના કપરાડા અને ધરમપુરના અંતરિયાળ ગામ માં આજે પણ આદિવાસી સમાજ ના લોકો ઘેર રમે છે. વાપી અને વલસાડના ધનાઢ્ય લોકો ઘોર રમનાર ને પોતાના ઘરે આમંત્રણ આપે છે. દરેક ઘેરૈયાનું પૂજન થાય છે.તમામનું ભવ્ય સ્વાગત કરવા માં આવે છે. નવા વર્ષે તેમને જમાડવામાં આવે છે. તેમજ યથા શક્તિ મુજબ તેમને દાન પણ કરવા માં આવે છે. એક માન્યતા પ્રમાણે ઘેરૈયા દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ આખું વર્ષ ફળે છે.
ધારાસભ્ય પણ રમે છે ઘોર
વલસાડના ધારાસભ્ય ભરત પટેલ પણ આદિવાસી ના આ ઘેરૈયા નૃત્ય ખુબ આસ્થા ધરાવે છે. પોતે પણ પોતાના નિવાસસ્થાને દરવર્ષે ઘોર મંડળને આમંત્રણ આપે છે. ધારાસભ્ય પોતે પણ ઘોર રમે છે. તેમના મતે ઘેરૈયા ના આશીર્વાદ તેમને હંમેશા ફળ્યા છે.
તાલ બદ્ધ અને લયથી ગવાતા ગરબાથી સંસ્કારો નું પણ સિંચન
સદીઓ થી ચાલતી આ પરંપરા આજે વિસરાઈ રહી છે. જોકે આ લોકનૃત્ય સાથે જોડાયેલા વડીલો આજે પણ તેમના યુવાનો ને આ પરમ્પરા સોંપવા માંગે છે. આ નૃત્ય સાથે જોડાયેલ દરેક ઘેરૈયા ને 7 દિવસ શુદ્ધ રહેવું પડે છે. પ્રાચીન સમય થી ચાલી આવતી આ પરંપરા થાકી લોકો માં એકતા નો સંચાર થાય છે. તો ગ્રામીણ વિસ્તારો માં લોકો ને મનોરંજન પણ મળે છે તો સાથે સાથે માતાજીની ભક્તિથી આદિવાસી સમાજમાં સમૃદ્ધિ મેળવે છે. તાલબદ્ધ અને લયથી ગવાતા ગરબાથી સંસ્કારોનું પણ સિંચન થાય છે.