ફિટ અને હેલ્ધી રહેવા માટે ઘણા લોકો અમુક વસ્તુઓનું સેવન કરવાનુ છોડી દેતા હોય છે, જે વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે. આ લિસ્ટમાં સૌથી પહેલા ઘીનો નંબર આવે છે.
ઘી માટે માન્યતા હોય છે કે તે ખાવાથી વજન વધી જાય છે. જ્યારે આર્યુવેદ અનુસાર ઘીમાં કેલેરીનું પ્રમાણ ઓછુ હોય છે. ઘી ઘણી ગંભીર બિમારીઓ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. આર્યુવેદ અનસુાર, ઘીને દૂઘમાં ઉમેરીને પીવામાં આવે તો ઘણા રોગોમાંથી મુક્તિ મળી જાય છે.
પાચન ક્રિયા સુધારવા માટે:
જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો દૂધમાં ઘી નાખીને પીવુ જોઇએ, આમાં રહેલુ બ્યૂટ્રકિ એસિડ પાચન કાર્યને મજબૂત અને ગતિશીલ બનાવે છે. ઘી વાળું દૂધ પીવાથી પાચન ઈંઝાઈમ ઝડપથી કામ કરે છે, જેનાથી ઉત્તમ પાચનમાં મદદ મળે છે. આ કારણથી પાચન ક્રિયા સુધારવા માટે ચોક્કસથી નિયમિત રીતે રાત્રે દૂધમાં ઘી નાખીને પીવું જોઇએ.
સેક્સ લાઇફ સુધરશે:
સેક્સ લાઇફ સુધારવા માટે દૂધનું સેવન કરવુ જોઇએ. દૂધ પીવાથી વીર્ય ઉત્પાદન વધે છે. શરીરની ગરમી ધટી જાય છે અને લાંબો સમય સુધી સમાગમ કરી શકાય છે. શીઘ્રપતનના કારણે આવતી શરમથી બચવા માટે દૂધમાં ઘી નાખીને પીવુ જોઇએ.
શારીરિક નબળાઇ દૂર કરશે:
શરીરને શારીરિક, માનસિક અને નબળાઈથી દૂર રાખવા માટે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર રાતે સુતા પહેલા એક ગ્લાસ માં દૂધ અને ઘી મિક્સ કરીને પીવું જોઈએ. જેથી તમને વધુ શારીરિક શ્રમ કરવા માટે ઉર્જા મળી શકે છે.
પ્રેગ્નેન્ટ મહિલાઓએ પીવું જોઇએ:
ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ દૂધ-ઘીનું મિશ્રણ સેવન ખાસ કરવું જોઈએ જેથી તેનો આવનારા બાળકનો વિકાસ સારી રીતે થાય. બાળકના મસ્તિષ્કને મજબૂત કરવામાં મદદ કરે છે. સ્તનપાન કરાવતી મહિલાઓએ નિયમિતરૂપે આ દૂધનું સેવન કરવુ જોઇએ.
આંખો માટે:
આંખો માટેને લગતી તમામ બિમારીઓ માટે ગાયના ઘીમાં નાની અડધી ચમચી કાળી મરીનો પાવડર મિક્સ કરીને સવારે ખાલી પેટે અને રાત્રે સૂતા પહેલા પીવાથી દરેક પ્રકારની બિમારીઓ દૂર થઈ જાય છે.