ખેડૂત નેતાઓનું કહેવું છે કે આજે સવારે મોટી સંખ્યામાં ખેડૂતો આવશે. મથુરા, ગાઝિયાબાદ, મુઝફ્ફરનગર, બિજનૌર અને સહારનપુરથી લોકો ગાઝીપુર બોર્ડર પહોંચ્યા છે.
કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનું આંદોલન
ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ નરેશ ટિકૈતનું આહ્વાન
નરેશ ટિકૈત આજે મુઝફ્ફરનગરમાં બોલાવી મહાપંચાયત
26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં દિલ્હીમાં થયેલી હિંસા અને બબાલને લઈને દિલ્હી પોલિસ અને યૂપી પોલિસ તથા પ્રશાસન ગાઝીપુર બોર્ડર પર સખત વલણ અપનાવી રહ્યા છે. લગભગ 37 કિસાન નેતાઓ પર એફઆઈઆર થવાની આશંકાના આધારે અને લુક આઉટ નોટિસ જાહેર કર્યા બાદ ખેડૂતોએ ધરણા ખતમ કરવાની તૈયારીઓ કરી છે. પણ કિસાન નેતા રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર આંદોલન ખતમ કરવાની મનાઈ કરી છે. પ્રશાસનના કહેવા છતાં પણ તેઓએ નિર્ણય બદલવાની મનાઈ કરી છે. ટિકૈતના ગામમાં પંચાયત થઈ હતી અને આજે ફરીથી પંચાયત થશે.
મોડી રાત સુધી રાકેશ ટિકૈત સાથે વાત કરવા મંચ પર ગાઝિયાબાદના 2 ડીએમ અને 2 એસપી પહોંચ્યા હતા. એડીએમ શૈલેન્દ્રએ કહ્યું કે તેમની તબિયત પૂછવા આવ્યા હતા અને સાથે કોઈ પ્રકારની કાર્યવાહી શરૂ કરાઈ નથી. આ પહેલાં સાંજે 7.30 વાગે અહીં દિલ્હી પોલીસના ઉપાયુક્તની તરફથી કલમ 144 લાગૂ કરાઈ હતી. અહીં પોલીસ પ્રશાસનની તરફથી બસ અને વજ્ર વાહન ચલાવાયા. ભારે સંખ્યામાં પોલીસ બળ અને પેરામિલિટ્રી ફોર્સના જવાન પણ તૈનાત છે. સ્પષ્ટ સંકેત છે કે જલ્દી ધરણા સ્થળને ખાલી કરાવી શકાય છે.
મુઝ્ફ્ફનગરમાં થશે મહા પંચાયત
નરેશ ટિકૈત રાકેશ ટિકૈતના મોટા ભાઇ છે અને નરેશ ટિકૈત બુલિયાન ખાપ પંચાયતના અધ્યક્ષ પણ છે. આ સાથે જ બુલિયાન ખાપ પંચાયત સૌથી મોટી ખાપ પંચાયત છે. હજારોની સંખ્યામાં આગેવાનોને એકત્ર થવાનું આહ્રવાન કરાશે. આ સાથે BKUને અજીતસિંહ ચૌધરી અને જયંત ચૌધરીનું સમર્થન પણ મળ્યું છે. રાકેશ ટિકૈતના સમર્થનમાં જિંદમાં ચક્કાજામ યોજાશે અને સાથે જ ટિકૈતના સમર્થકોએ રોડ પર ચક્કાજામ કર્યો છે. જિંદ-ચંડીગઢ હાઈવે પર ખેડૂતોનો ચક્કાજામ યોજાશે અને સાથે કંડેલા નજીક હાઈવે પર હજારો ખેડૂતો ઉમટ્યા છે.
રાકેશ ટિકૈતને છે આરએલડીનો સાથ
પ્રશાસનના નિશાના પર આવેલા કિસાન નેતા રાકેશ ટિકૈતને આરએલડીનો સાથ મળ્યો છે. આરએલડી નેતા અજિત સિંહે રાકેશ ટિકૈત સાથે વાત કરી છે અને કહ્યું છે કે ચિંતા ન કરશો અમે તમારી સાથે છીએ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકીઆપી
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતા રડતા કહ્યું કે, જો ત્રણેય કૃષિ કાયદા પરત નહીં લેવામાં આવે તો હું આત્મહત્યા કરી લઇશ. મને કંઇ પણ થયું તો તંત્ર જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે, હું ખેડૂતોને બરબાદ થવા નહીં દઉ ખેડૂતોને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અહીં અત્યાચાર થઇ રહ્યો છે.
जब तक सरकार से बात नहीं होगी धरणा प्रदर्शन समाप्त नहीं होगा। जब तक गांव के लोग ट्रैक्टरों से पानी नहीं लाएंगे, पानी नहीं पीऊंगा। प्रशासन ने पानी हटा दिया, बिजली काट दी, सारी सुविधा हटा दी: भारतीय किसान यूनियन के राष्ट्रीय प्रवक्ता राकेश टिकैत, गाज़ीपुर बॉर्डर से pic.twitter.com/Hpzqj453fQ
ખેડૂત હિંસા બાદ પોલીસે હવે કાર્યવાહી શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસ તરફથી અંદાજિત 37 ખેડૂત નેતાઓ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે. જ્યાર બાદ આ તમામના પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવશે. આ નેતાઓમાં રાકેશ ટિકૈત, દર્શન પાલ, યોગેન્દ્ર યાદવ અને ગુરૂનામ સિંહ ચંદૂની જેવા નામ સામેલ છે. પોલીસનું કહેવું છે કે, ગુનોગારોને બક્ષવામાં નહીં આવે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલન અને દિલ્હીની બોર્ડર પર શું ચાલી રહ્યું છે.