આંદોલનને સમાપ્ત કરવા માટે સ્ટેજ પર સમાધાન અને ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતની ધરપકડને લઈને વાત ચાલી રહી હતી.
તો શું રાકેશ ટિકૈતની થઈ જાત ધરપકડ ?
શું ગાજીપુર બોર્ડર પરનું આંદોલન પૂરું થઈ ગયું હતું ?
શું ભાજપના જ ધારાસભ્યે જ પલટી નાખી બાજી ?
ગુરુવારે ગાજીપુર બોર્ડર પર એડીએમ સિટી શૈલેન્દ્રસિંહ, એડિશનલ એસપી જ્ઞાનેન્દ્ર સિંહ અને અન્ય અધિકારીઓ આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. લગભગ નક્કી થઈ ગયું હતું કે રાકેશ ટિકૈત ધરપકડ વહોરશે અને આંદોલન ખતમ કરી નાંખશે, જો કે આ દરમિયાન જ લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર આવતાની સાથે જ અચાનક બધા સમીકરણો બદલાયા હતા.
રાકેશ ટિકૈતે આંદોલન સ્થળ ખાલી કરવાની સંમતિ આપી દીધી હતી : સૂત્રો
સાંજે જ એડીએમ શૈલેન્દ્ર સિંહ કલમ -133 હેઠળ નોટિસ લઈ સ્ટેજ પર પહોંચી ગયા હતા, તે પછી, રાકેશ ટિકૈત અને અન્ય ખેડૂત નેતાઓ સાથે અધિકારીઓએ વાટાઘાટો શરૂ કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે વાતચીત સાચી દિશામાં ચાલી રહી છે અને ધરપકડ જોઈને રાકેશ ટિકૈતે આંદોલન સ્થળ ખાલી કરવાની સંમતિ આપી દીધી હતી.
દરમિયાન કેટલાક ખેડૂતો સ્ટેજ પર પહોંચ્યા હતા અને રાકેશ ટિકૈતને માહિતી આપી હતી કે ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર 100 થી વધુ કાર્યકરો સાથે પ્રવેશ્યા છે. આ માહિતી મળતાં જ રાકેશ ટિકૈત મંત્રણા છોડી અને સ્ટેજ પર ઊભા રહી ગયા. માઇક સંભાળતાં જ તેમણે કહ્યું કે અમારી સામે કાવતરું રચવામાં આવી રહ્યું છે. મારી અહીંથી ધરપકડ કરવામાં આવશે અને મારી સાથે આવેલા ખેડૂતોને માર મારવામાં આવશે.
... અને રાકેશ ટિકૈત ભડકીને ઊભા થઈ ગયા
હું મારી જાતને સ્ટેજ પર લટકાવી દઇશ, પરંતુ હવે હું આ તબકકે મેદાન છોડીશ નહીં. ભાજપના ધારાસભ્યો નીચે ગુંડાગીરી કરી રહ્યા છે અને અહીં વહીવટીતંત્ર મારી સાથે વાટાઘાટો કરી રહ્યું છે. આ મારી વિરુદ્ધ રચાયેલ કાવતરું છે. હવે કોઈ વાતચીત કરશે નહીં. ગોળીઓ ખાશે, લાકડીઓ ખાશે, પરંતુ ગુંડાગીરી નહીં થવા દઉં. હવે આંદોલન ચાલુ રહેશે.
બીજી તરફ અચાનક ખેડૂત આગેવાનોનો વલણ બદલ્યા બાદ સ્થળ પર હાજર અધિકારીઓએ લખનઉમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને ધારાસભ્યના ધરણા પર પહોંચવા જાણ કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે કઈ રીતે બની રહેલી બાજી પલટી ગઈ હતી, પાર્ટી હાઇકમાન્ડ તરફથી ધારાસભ્યને કડક ચેતવણી આપવામાં આવી હતી. બીજી તરફ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરનું કહેવું છે કે હા, તેઓ ધરણા પર ગયા હતા, પરંતુ કોલ આવ્યા બાદ લખનૌથી પરત ફર્યા હતા.