ગણતંત્ર દિવસે થયેલી હિંસાની ઘટના પછી એક બાજુ દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તૈનાતી કરી દેવામાં આવી છે ત્યારે એકવાર મૃતપ્રાય થવા સુધી પહોંચી ગયેલું ખેડૂત આંદોલન ફરીથી સળવળાટ મારીને બેઠું થઇ ગયું છે.
આંદોલન ફરીથી ઊભું થઈ ગયું
ખેડૂતો ફરીથી ગાજીપુર બોર્ડર પર થયા એકઠા
રાકેશ ટિકૈત માટે ગામડાથી પાણી આવ્યું
શુક્રવારે વેસ્ટ યુપીથી મોટી સંખ્યામાં ખેડૂતો ગાજીપુર બોર્ડર પર પહોંચી રહ્યા છે. આ દરમિયાન અનશનનું એલાન કરનાર ખેડૂત નેતા રાકેશ ટિકૈત માટે તેમના ગામથી પાણી અને છાશ લાવવામાં આવી હતી.
પીવાનું પાણી અને મઠ્ઠો લાવવામાં આવ્યું
મહત્વનું છે કે ગુરુવારે યુપી સીએમ યોગી આદિત્યનાથના આદેશ પર પોલીસ ફોર્સ ગાજીપુર બોર્ડરને ખાલી કરાવવા માટે પહોંચી ગઈ હતી, જો કે રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપીને સ્થળ ખાલી કરવાની ના પાડી દીધી હતી, અને કહ્યું હતું કે જ્યા સુધી તેમના ગામડાથી પાણી નથી આવતું તે અનશન પર રહેશે. આ વાત પછી તેમના માટે ગામડેથી પાણી અને મઠ્ઠો મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતો એમ પણ કહ્યું હતું કે તેમની પાસે એટલું પાણી છે કે આખું ગાજિયાબાદ વહાવી દેશે.
મહત્વનું છે કે આ સમયે રાકેશ ટિકૈત ભાવુક થઇ ગયા હતા અને કહ્યું હતું કે આ કાળા કાયદા છે અને જ્યાં સુધી આ પરત નહિ થાય ત્યાં સુધી આંદોલન ચાલતું જ રહેશે, જો કે આ સમયે તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની સામે કાવતરું કરવામાં આવી રહ્યું છે, પરંતુ જો તેમનો જીવ પણ આપવો પડે તો ભલે પણ આ આંદોલન ચાલતું જ રહેશે. તેમની આંખોમાં આવેલા આંસુઓએ આ આંદોલનને એક નવી ધાર આપી દીધી છે અને એક વાર મૃતપ્રાય થવા સુધી પહોંચી ગયેલું આંદોલન ફરીથી સળવળાટ લઈને બેઠું થઇ ગયું છે.