લોકડાઉન 4.0ની વચ્ચે પ્રવાસી મજૂરોને માટે ચલાવવામાં આવી રહેલી શ્રમિક ટ્રેનને માટે ભીડના કારણે ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં સોશ્યલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડ્યા હતા. ગાઝિયાબાદના રામલીલા મેદાનમાં પોતાના વતને જવા હજારો મજૂરો એકત્ર થયા હતા.
ગાઝિયાબાદમાં ભેગા થયા હજારો મજૂરો
વેરિફિકેશનને માટે જામી ભીડ
સોશ્યિલ ડિસ્ટન્સિંગનું ન થયું પાલન
સોમવારે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સામાજિક અંતરના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. રામલીલા મેદાનમાં હજારો કામદારો અહીં મજૂર ટ્રેનની વેરિફિકેશન કરાવવા માટે એકઠા થયા હતા. અહીંથી આજે સાંજે ત્રણ લેબર ટ્રેનો ઉત્તર પ્રદેશ અને બિહારના જુદા જુદા વિસ્તારો માટે રવાના થવાની છે.
Ghaziabad: Thousands of migrant workers gather at Ramlila Ground for registering themselves for the three Shramik special trains, which will leave for different parts of Uttar Pradesh later today. pic.twitter.com/T9bCghlDL3
કામદારોને થર્મલ સ્ક્રિનિંગ અને પેપર વેરિફિકેશન માટે અટકાવાયા
ટ્રેનોમાં જતા પહેલા કામદારોને થર્મલ સ્ક્રિનિંગ અને પેપર વેરિફિકેશન માટે વહીવટીતંત્ર તરફથી રોકી દેવામાં આવી હતી. પરંતુ હજારો મજૂરો સ્થળ ઉપર એકઠા થયા હતા. આવી સ્થિતિમાં સ્થાનિક વહીવટની તમામ સિસ્ટમ બંધ રહી હતી અને એડીએમ-મેજિસ્ટ્રેટ સમક્ષના તમામ નિયમો બેકાર સાબિત થયા હતા.
ઘંટાઘરની નજીક લોકોની ભીડ થઈ એકઠી
હકીકતમાં ઘંટાઘરની પાસે ગાઝિયાબાદ નજીક રામલીલા મેદાન પાસે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ લોકોને ટ્રેન કે બસ દ્વારા ઘરે મોકલવાની ખાતરી આપવામાં આવી હતી. રસ્તા પર ચાલતા બધા લોકોને ત્યાં લઈ જવામાં આવ્યા છે અને હવે આવી ભીડ થઈ ગઈ છે કે લોકો એકબીજાની ઉપર ચઢી રહ્યા છે.
#WATCH Ghaziabad: Thousands of migrant workers gather at Ramlila Ground for registering themselves for the three Shramik special trains, which will leave for different parts of Uttar Pradesh later today. pic.twitter.com/SwXhqdpqQf
બિહાર માટે ગાઝિયાબાદથી 3 ટ્રેન ચલાવવામાં આવે છે જેમાં 1200 મજૂરોને એક ટ્રેનમાં લઈ જવાશે. એટલે કે 3600 મજૂરોને બિહાર મોકલવામાં આવશે. આ સિવાય લખનઉ, ગોરખપુરના મજૂરોને પણ મોકલવામાં આવશે. સવાર સુધી સ્થિતિ નિયંત્રણમાં હતી. પણ હવે મજૂરો તડકામાં મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ તેમનો નંબર આવી રહ્યો નથી.
શ્રમિક ટ્રેનોમાં પહેલાં પણ મજૂરોનું થર્મલ સ્ક્રીનિંગ કરાયું છે. સાથે વેરિફિકેશન પણ કરવામાં આવી રહ્યું છે. જેથી ટ્રેન જઈ રહી છે અને જ્યાં પહોંચવાની છે બંને તરફ વ્યવસ્થા કરવામાં આવી છે.