ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં નહેરૂનગરના રાકેશ માર્ગ સ્થિત દુકાન પર કરંટ લાગવાથી ત્રણ બાળકો અને 2 યુવાનોના મોત નિપજ્યાં છે. આ અંગે વિજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી છે.
ઉત્તર પ્રદેશના ગાજીયાબાદમાં કરંટ લાગતા પાંચ લોકોના મોત
વિજળી વિભાગની મોટી બેદરકારી સામે આવી
સ્થાનિકોએ જણાવ્યું, સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ના થયો
લગભગ 15 મિનિટ સુધી લોકો તરફડ્યા
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ લગભગ 15 મિનિટ સુધી પાંચ લોકો તરફડ્યા હતા. સ્થાનિકોએ વિજળી વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવાના ઘણાં પ્રયત્ન કર્યા. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો. ઘટનાસ્થળની નજીકમાં રહેતા બાલકૃષ્ણ અગ્રવાલે જણાવ્યું કે, તેમણે જેઈને 2-3 વખત કોલ કર્યો. પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ ગમે તે રીતે મેન લાઈનનો નંબર નિકાળી ત્યાં કોલ કરવામાં આવ્યો. ત્યારબાદ સપ્લાય બંધ થઈ. જોકે, ત્યાં સુધી ખૂબ મોડું થયુ હતુ અને પાંચ લોકોના મોત થયા હતા.
Five people people including three children and a woman died due to electrocution in Ghaziabad today. Two of them belong to a single family. They touched a pole that had running electric current at a shop: Ghaziabad ADM (City) Shailendra Kumar pic.twitter.com/XuoBYY7t5i
આ દુર્ઘટના બાદ સ્થાનિકોએ વિજળી વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, આ વિસ્તારોમાં વિજળીના તારની સ્થિતિ ખૂબ દયનીય છે. દરેક જગ્યાએ વિજળીના તાર લટકેલા છે. વિજળીના તારને રિપેર કરવા માટે પણ વિભાગના અધિકારીઓ તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જ્યાં દુર્ઘટના થઈ હતી ત્યાં પણ વિજળીના તાર ખૂબ નીચે લટકેલા હતા.
સ્થાનિકોએ વિજળી વિભાગને કર્યો હતો સવાલ
આ જ કારણ છે કે તાર ટીનશેડને ટચ કરવામાં આવ્યો અને કરંટ આવ્યો. અત્યાર સુધી આ મામલે ટીનશેડથી વાયર ખરાબ થયા હોવાની વાત કરી રહેલા વિજળી વિભાગને સ્થાનિકોએ સવાલ કર્યો કે અધિકારીઓ વરસાદ પહેલાં પોતાની લાઈનોને ચેક કેમ કરતા નથી. તેથી જો કોઈ સમસ્યા હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવી શકાય.