UP / ગાઝિયાબાદ : મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા 7 લોકોના મોત, અનેક ઘાયલ

ghaziabad modinagar candle factory fire

ગાઝિયાબાદ જિલ્લાના મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ દર્દનાક દૂર્ઘટનામાં 7 લોકોનાં મોત નીપજ્યાં છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જો કે, માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને એસએસપી સહિત અનેક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ