બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કળિયુગનો કપાતર બાપ! 7 વર્ષની સગી પુત્રીની આબરું લૂંટીને હત્યા કરી નાખી, પડોશીને ફસાવ્યો

દરિંદગી / કળિયુગનો કપાતર બાપ! 7 વર્ષની સગી પુત્રીની આબરું લૂંટીને હત્યા કરી નાખી, પડોશીને ફસાવ્યો

Last Updated: 10:16 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના ગાઝિયાબાદમાં એક શખ્સે તેની 7 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી હતી.

'કળિયુગના કપાતર બાપે' ન કરવાનું કામ કરી નાખ્યું છે અને તેના આ કૃત્ય બાદ ચોમેરથી તેની પર ફિટકાર વરસવી રહ્યો છે. યુપીના ગાઝિયાબાદમાં બનેલી એક અતિ આઘાતની ઘટનામાં સગા બાપે તેની 7 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં આરોપીએ આખી ઘટનાનું ખૌફનાક વર્ણન કરી દેખાડ્યું છે.

શું બોલ્યો હત્યારો પિતા

પિતાએ પોલીસ પૂછપરછમાં કહ્યું કે હોળીની રાતે તે દારુના નશામાં હતો. રાતે 3 વાગ્યે તેના પાંચ બાળકો અને પત્ની એક રૂમમાં સૂતા હતા. તેણે તેની સાત વર્ષની પુત્રીને પલંગ પરથી ઉપાડી બીજા રૂમમાં ગયો. તેણે તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે રડવા લાગી, ત્યારે તેણે તેનું ગળું દબાવી દીધું.

પડોશી પર નાખ્યો દોષનો ટોપલો

સગી દીકરીની આબરુ લુંટીને તેને મારી નાખીને આરોપી પિતાએ પડોશી પર દોષનો ટોપલો તેને ફસાવ્યો હતો અને તેની પર રેપ-હત્યાનો આરોપ લગાવ્યો હતો જોકે તેનો ઢાંકપિછોડો ઉઘાડો પડી ગયો હતો. પુત્રી સાથે દરિંદગી કર્યાં બાદ સવારે તેણે એક મિત્રને ફોન કરીને કહ્યું કે તેની પુત્રી કઢી ખાધા પછી બીમાર પડી ગઈ છે. તેઓ સગીરાને મોટરસાઇકલ પર સ્થાનિક ક્લિનિકમાં લઈ ગયા. ક્લિનિકના ડૉક્ટરે પરિવારને તેણીને હોસ્પિટલમાં લઈ જવા કહ્યું. તેઓ તેણીને GTB લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી. આ પછી આરોપીએ તેના અન્ય બાળકોને હોસ્પિટલમાં બોલાવ્યા અને બીમારીનો ઢોંગ કરવાનું કહ્યું. "તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ ડોક્ટરોને જણાવે કે તેમને પેટમાં દુખાવો છે જોકે તપાસમાં કોઈ દુખાવો ન હોવાનું જણાતાં શક વધુ ઘેરો બન્યો.

પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું સત્ય

અંકુર વિહારના ACP અજય કુમાર સિંહે TOI ને જણાવ્યું હતું કે, "આરોપીઓએ GTB હોસ્પિટલમાં છોકરીનું પોસ્ટમોર્ટમ ન ઇચ્છતા હોવાની અરજી રજૂ કરી હતી, અને અમારી પાસે તેના પુરાવા છે. તેના પાડોશીને ફસાવવા માટે, તેણે લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને શાંતિ દેવી સામે FIR નોંધવામાં આવી હતી. તેણીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. આરોપીએ પિતાએ શરુઆતમાં એવું રટણ કર્યાં કર્યું કે તેનું દીકરીનું મોત પડોશીએ રાતે મોકલાવેલી કઢી ખાવાથી થયું છે અને ખરેખર પડોશી શાંતિ દેવીએ કઢી મોકલાવી હતી પરંતુ તેને કારણે કોઈનું મોત થયું નહોતું. પિતાએ આ વાત ઉપજાવી કાઢી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

UP NEWS Ghaziabad man crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ