તારક મહેતા...ના પ્રખ્યાત પાત્ર 'નટુ કાકા' કેન્સર જેવી ગંભીર બીમારીથી લડી રહ્યા છે, તેથી કેન્સર સારવાર માટે પરિવારજનો દ્વારા તેમના કીમોથેરાપી સેશન્સ શરુ કરવામાં આવ્યા છે.
નટુ કાકાને થયુ કેન્સર
ફેન્સને આપ્યો ખાસ મેસેજ
તારક મહેતા..ના શૂટિંગ શરૂ થવાની રાહ
આપ્યો આ મેસેજ
એક ઇન્ટરવ્યૂમાં નટુ કાકાએ કહ્યું કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છુ અને હેલ્ધી પણ છું. તેમાં કોઇ મોટી વાત નથી અને વ્યૂઅર્સ મને શોમાં જોશે તે ચોક્કસ વાત છે. આ એક સ્પેશ્યલ એપિસોડ છે અને મને ખાતરી છે કે લોકો હંમેશાની જેમ મારુ કામ પસંદ કરશે. મારો ઇલાજ ચાલી રહ્યો છે અને આશા રાખુ છુ કે બધુ જલ્દી ઠીક થઇ જશે. હું ઇચ્છુ છુ કે મુંબઇમાં જલ્દી શૂટિંગ શરૂ થાય અને હું રેગ્યુલર કામ પર પરત ફરુ.
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટુ કાકા આજકાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અભિનેતાની કેન્સરની સારવાર શરૂ થઈ ગઈ છે. અભિનેતાને એપ્રિલ મહિનામાં આ ગંભીર રોગ વિષે જાણ થઈ હતી, છતાં તેમણે કામને પ્રાથમિકતા આપી હતી. ઘનશ્યામ નાયક કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત 'તારક મહેતા કા ઉલટા ચશ્મા' સીરીયલમાં સતત કામ રહી રહ્યા છે. ઘનશ્યામ નાયકના કામ પ્રત્યેનું સમર્પણ કોઈથી છુપાયેલું નથી, તે 77 વર્ષની ઉંમરે પણ લોકોનું ખૂબ મનોરંજન કરે છે.
કેન્સરથી લડી રહ્યા છે ઘનશ્યામ નાયક
ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્રણ મહિના પહેલા ઘનશ્યામ નાયકના ગળામાં કેટલાક સ્પોટ્સ જોવા મળ્યા હતા, ત્યારબાદ વિકાસે તેમના પિતાન સારવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ઘનશ્યામના પુત્રે વધુમાં જણાવ્યું કે એપ્રિલ મહિનામાં, તેમના ગળાનું પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું, જેથી પરિવાર સભ્યોને આ ગંભીર રોગની જાણ થઈ હતી.
શરુ થયા કીમોથેરાપી સેશન્સ
જો કે કેન્સરનું રોગ ખુબ જ ગંભીર હોય છે, તેથી ઘનશ્યામ નાયકના પરિવારજનો કોઈપણ પ્રકારનો રિસ્ક લેવા માંગતા નહોતા, જેથી કેન્સરની ઉચ્ચ સારવાર માટે પરિવારજનો દ્વારા નટુ કાકાના કીમોથેરાપી સેશન્સ શરુ કરવામાં આવ્યા છે. હાલમાં કેન્સરની સારવાર તે જ ડોકટરો દ્વારા કરવામાં આવી રહી છે, જેમણે શરૂઆતના દિવસોમાં નટુ કાકાનું ડાઈગ્નોસીસ કર્યું હતું.