તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમમાં નટુકાકાનુ પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકનુ કેન્સરની ટુંકી બીમારી બાદ અવસાન થયું છે.
તારક મહેતા ફેમ નટુકાકાનું નિધન
પ્રસિદ્ધ કલાકાર ઘનશ્યામ નાયકનું 77 વર્ષે નિધન
કેન્સરની બીમારી બાદ અવસાન
તારક મહેતા ફેમ નટુકાકા(ઘનશ્યામ નાયક)નું 77 વર્ષની વયે મુંબઇમાં પોતાના નિવાસસ્થાને નિધન થયું છે. તેમની કેન્સરની સારવાર માટે કીમોથેરાપી સેશન્સ શરુ કરાયા હતાં. અગાઉ કરયેલા ગળાના ઓપેરશનમાં 8 ગાંઠ નીકળી હતી. નટુકાકા મુશ્કેલ સમયમાં પણ સતત કામ કરી રહ્યાં હતાં. 77 વર્ષની ઉંમરે પણ લોકોને ખૂબ મનોરંજન પીરસ્યુ હતું. ઘનશ્યામ નાયક રંગમંચ,ભવાઇના પ્રસિદ્ધ કલાકાર પણ હતાં. નટુકાકા ઘરે ઘરે જાણિતા હતા. તેમના નિધન અંગે તારક મહેતાના ડાયરેક્ટર અસિત મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.
Hamare pyaare #Natukaka@TMKOC_NTF hamare saath nahi rahe 🙏🏻 परम कृपालु परमेश्वर उन्हें अपने चरणो में स्थान दे और परम शांति दे 🙏🏻 उनके परिवार को ये दुःख सहन करने की शक्ति दे 🙏🏻 #नटुकाका हम आपको नहीं भूल सकते 🙏🏻 @TMKOC_NTF
ઘનશ્યામ નાયક(નટુકાકા)નું નિધન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, ગુજરાતી રંગમંચથી શરૂ કરી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકના નટુકાકાના હુલામણા નામથી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
ગુજરાતી રંગમંચથી શરુ કરી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ધારાવાહિકના “નટુકાકા”ના હુલામણા નામ થી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના. pic.twitter.com/jiTBfLkq4q
ઘનશ્યામ નાયકે કરી હતી પોસ્ટ - 'અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલો રહીશ'
છેલ્લા 13 વર્ષથી માત્ર ગુજરાતીઓ જ નહિ પરંતુ દેશ-વિદેશના ખૂણે-ખૂણે દર્શકોના લોક હૃદય પર બિરાજિત સીરીયલ તારક મહેતા કા ઉલટા ચશ્માના લોકપ્રિય પાત્ર નટુકાકા (ઘનશ્યામ નાયક)નું નિધન થતા ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ચલચિત્ર જગત અને હિન્દી ફિલ્મ/ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફરી વળી છે. ઘનશ્યામ નાયક ઉર્ફ નટુકાકા છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. મૂળ ઉત્તર ગુજરાતના વડનગરના ઉંઢઇ ગામના વતની હતા. ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે 1944માં થયો હતો. ત્રણ મહિના પહેલા નટુ કાકાને કેન્સર ડિટેક્ટ થયું હતું. તેમને પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, તેઓ પોતાના અંતિમ શ્વાસ સુધી અભિનય સાથે જોડાયેલા રહી દર્શકોનું મનોરંજન કરતા રહેશે.
ઘનશ્યામ નાયક સિરિયલ્સમાં
ગુજરાતી કલાકાર ઘનશ્યામ નાયકે સિરિયલ ખીચડી, મણીમકતું (લીડ હીરો), એક મહલ હો સાપનો કા, દિલ મિલ ગયે, સારથી, સારાભાઈ વર્સીસ સારાભાઈ, છૂટા છેડા(ગુજરાતી સીરીયલ) અને 2008થી તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર જાણીતા થયા હતા.
ઘનશ્યામ નાયકની ફિલ્મી સફર
ઉત્તર ગુજરાતના વાતની ઘનશ્યામ નાયક ભાવાઈ અને રંગભૂમિથી પ્રવેશીને હિન્દી ફિલ્મ/સીરીયાલ્સની દુનિયામાં ભારે સંઘર્ષ બાદ પહોચ્યા હતા. તેઓની ફિલ્મી સફરની વાત કરીએ તો તેમણે 34 જેટલી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. અનીલ કપૂર અને સલમાન ખાનથી માંડીને સની દેઓલ જેવા કલાકારો સાથે કામ કરી ઘનશ્યામ નાયકે હિન્દી ચિત્રપટમાં પણ મોટું યોગદાન આપ્યું હતું. તેમની ફિલ્મ કારકિર્દી પર એક નજર - 1960માં બાળ કલાકાર તરીકે માસૂમ,1974 માં બાળક ધ્રુવ,1992માં બેટા, તિરંગા,1993માં આંખે, 1994માં લાડલા, ક્રાંતિવીર, ઇના મીના ડીકા, 1995માં આંદોલન, બરસાત, 1996માં માફિયા, ચાહત, ક્રિશ્ના,ઘાતક, ઈશ્ક(1997) 1998માં શ્યામ-ઘનશ્યામ ચાયના ગેટ, બારૂદ, કચ્ચે ધાગે, (1999)માં હમ દિલ દે ચૂકે સનમ, (2000) તેરા જાદૂ ચલ ગયા,2001માં ચહેરા મૌત કા, લજ્જા (2003)તેરે નામ, શીકારી ઘનશ્યામ, ખાખી, પોલીસ ફોર્સ, પંગા ના લો, અંદર ટ્રાયલ, હલ્લો,હમ લલ્લન બોલ રહે હૈ, એક્કો,બાદશાહ,રાણી, લવની ભવાઈ
એક સમયે માત્ર ત્રણ રૂપિયાથી પોતાના સંઘર્ષના દિવસો શરુ કરનારા ઘનશ્યામ નાયકઆજે ઘર-ઘરમાં જાણીતું નામ બની ગયા હતા. કેન્સર સામે ઝઝૂમી રહેલા ઘનશ્યામ નાયકે આજે મુંબઈના તેમના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. ઘનશ્યામ નાયકનો પરિવાર પણ અંતિમ સમયમાં તેમની સાથે જ હતો.