દરેક માણસની આસપાસ રહેલ શક્તિઓની માણસની કાર્યક્ષમતા પર સીધી અસર કરે છે. જો તમારી આસપાસ સકારાત્મક ઉર્જા રહેલી છે તો તમે કોઈ પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરો છો પછી ભલેને તે ગમે એટલું કઠિન ન હોય પરંતુ જો તમે નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા છે તો ભરપૂર મહેનત કર્યા બાદ પણ ઈચ્છા પ્રમાણેની સફળતા મળતી નથી.
વસ્તુ શાસ્ત્રોમાં આવી ઘણી બાબતોના ખૂબ જ સરળ ઉપાય બતાવવામાં આવ્યા છે જેની મદદથી તમે કઠિનમાં કઠિન પરિસ્થિતિ સામે ટક્કર લઇ શકો અને તમારા કામમાં સફળતા મેળવી શકો. આજે અમે તમને આવા કેટલાક ઉપાયો વિશે જણાવશું.
વિદ્યાર્થીઓએ કાર્યક્ષમતા વધારવા માટે અધ્યયન કરતી સમયે મોઢું હંમેશાં પૂર્વ અથવા તો ઉત્તર દિશાની બાજુ રાખવી જોઈએ. ઘરમાં માછલીઘર રાખવું શુભ માનવામાં આવે છે. આ વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. દરરોજ પક્ષીઓને દાણ નાખવા જોઈએ. ઘર અથવા તો પ્રતિષ્ઠાનમાં પોતાની આસપાસના વાતાવરણને હંમેશાં સકારાત્મક રાખો.
આ ઉપરાંત ઘરને સ્વચ્છ રાખો. ઘરના મુખ્ય દ્વારને સ્વચ્છ અને સજાવીને રાખો. દરરોજ ઘરમાં ધૂપ અગરબત્તીનો ઉપયોગ કરો. સવારના સમયે ભવિષ્યની યોજનાઓ બનાવો. ઘર અથવા તો કાર્યાલયમાં બંધ ઘડિયાળ અથવા તો ખરાબ મશીન હોય તો તેને હટાવી દો.
ક્યારેય પણ હિંસક પશુ ઉદાસી દર્શાવતી અથવા તો ડૂબતા સુરજ ડૂબતું જહાજ સ્થિર પાણી જેવા ચિત્રોને ન લગાવવા જોઈએ. જ્યારે પણ બેંકમાં પૈસા જમા કે કાઢવા જાવ તો મનમાં લક્ષ્મીનું સ્મરણ કરો.