શરીરને સંપૂર્ણ રીતે કરો ડિટોક્સ, ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગથી આ રીતે ઘટાડો વજન, જાણો શું છે ફાયદા
વજન ઘટાડવા માટે બેસ્ટ છે આ ડાયેટ
શું છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ
જાણો તેના ફાયદા
ઘણાં બધાં સેલિબ્રિટીઝ ફિટ રહેવા માટે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગનો સહારો લેતાં હોય છે. હમણાં જ કોમેડી ક્વીન ભારતી સિંહે પોતાના વેઈટ લોસની વાત કરતાં એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે પોતાના વેઈટ લોસનું સિક્રેટ શેર કર્યું, જેમાં તેણે ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગની વાત કરી હતી. તો ચાલો જાણીએ કે શું છે, આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અને શું છે તે કરવાની સાચી રીત.
સૂર્યાસ્ત પથી ભોજન ન કરવું
ઇન્ટરમિટન્ટ એટલે કટકે કટકે..દિવસના કેટલાક ભાગ દરમિયાન જ ભોજન લેવાનું હોય છે અને બાકીના સમય દરમિયાન ભોજન નથી લઈ શકાતું અને હાલ આ ફાસ્ટ ઘણો ટ્રેન્ડમાં છે. આપણા ઋષિમુનિઓ પુરાતનકાળમાં આ પદ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા હતા. સૂર્યાસ્ત બાદ તેઓ ભોજન લેવાનું ટાળતા હતા તેની પાછળનો તર્ક પણ ઘણો વાજબી અને સ્વાસ્થ્યવર્ધક હતો. સૂર્યાસ્ત પછી વ્યક્તિની પાચનક્રિયા મંદ પડી જતી હોય છે. જેથી તેઓ આ પદ્ધતિથી જ ભોજન ગ્રહણ કરતા હતા.
16 કલાક ફાસ્ટ કરવો
ઈન્ટરમિટન્ટ ફાસ્ટમાં તમારે તમારા બે ભોજન વચ્ચે 12 કલાક, 14 કલાક અથવા તો 16 કલાકનો અંતરાલ રાખવાનો હોય છે. 16 કલાકના ફાસ્ટને બેસ્ટ માનવામાં આવે છે. તમને થશે કે આટલા લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું તો ખૂબ જ અઘરું છે પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે જે સમયે અંતરાલ રાખવાનો છે તે રાતનો છે, જેથી તમારો મોટા ભાગનો સમય સૂવામાં જ પસાર થઈ જશે.
શું ખાઈ શકાય?
જો તમે તમારું રાતનું જમવાનું 7 વાગ્યે લીધું છે તો તમારે બીજા દિવસે સવારના નાસ્તા અથવા લંચ માટે 11 વાગ્યા સુધી રાહ જોવી પડશે. તમે જ્યારે આ ફાસ્ટ કરો છો ત્યારે તમારે સંપૂર્ણ ભૂખ્યા નથી રહેવાનું. તમે આ સમયગાળા દરમિયાન શાકભાજી જ્યૂસ, ગ્રીન ટી વગેરે ચોક્કસ લઈ શકો છો પણ એ વાત યાદ રહે કે આ સમયમાં તમારે ફ્રૂટ, ફ્રૂટ જ્યૂસ, ચા કે કોફી બિલકુલ નથી લેવાનાં.
ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગના ફાયદા
- શરીરનું સંપૂર્ણ ડિટોક્સિફિકેશન એટલે કે શરીરની અંદર રહેલાં ઝેરી તત્ત્વોનો સંપૂર્ણ નાશ કરી શરીરને અંદરથી શુદ્ધ કરે છે
- મેદસ્વીપણામાંથી મુક્તિ
- કેન્સરના સેલ્સનો નાશ
- આંતરડાંની સફાઈ
- મજબૂત પાચનશક્તિ
- મેટાબોલિઝમમાં વધારો
- શુગર કંટ્રોલ