પંજાબ સરકારે વેક્સીનેશનને લઈને નિયમ કડક કરતાં કહ્યું કે નક્કી તારીખ સુધી વેક્સીન નહીં લગાવાય તો સરકાર ખર્ચ આપશે નહીં.
પંજાબ સરકારની મોટી જાહેરાત
વેક્સીન નહીં લગાવનારા સ્વાસ્થ્યકર્મીઓને સૂચના
વેક્સીન નહીં લગાવે તો કોરોના સંક્રમિત થવા પર સરકાર નહીં ઉઠાવે ખર્ચ
પંજાબ સરકારે હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોરોના વેક્સીન લગાવડાવી લે. જો તેઓ આ પછી સંક્રમિત થશે તો રાજ્ય સરકાર તેમની સારવારનો ખર્ચ ભોગવશે નહીં. સ્વાસ્થ્યકર્મીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવાની તારીખ 19 ફેબ્રુઆરીથી વધારીને 25 ફેબ્રુઆરી કરાઈ છે. આ પછી વેક્સીન નહીં લેવાય અને વ્યક્તિ કોરોના સંક્રમિત થશે તો તેનો ખર્ચ જાતે જ ઉઠાવવાનો રહેશે. સરકારે આ નિર્ણય એ રિપોર્ટસને જોઈને લીધો છે જેમાં કહેવાયું છે કે વેક્સીન લગાવનારા ઓછી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.
Punjab Government extends last date to administer 1st dose vaccination for healthcare workers. Health Minister Balbir Singh Sidhu also Instructs Civil Surgeons to Conduct #COVID Testing Drive For Teaching & Non-Teaching Staff of all Schools.https://t.co/mXt4oOiPZk
પંજાબના સ્વાસ્થ્ય મંત્રી બલવીર સિંહ સિદ્ધુએ કહ્યું કે એ હેલ્થ વર્કર્સ જેઓએ વેક્સીન નથી લગાવી છે તેમને એક અવસર અપાયો છે. તેમના માટે તારીખને 25 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે. જો તેઓ આ તારીખ સુધીમાં વેક્સીન નહીં લગાવે અને પછી કોરોના સંક્રમિત થશે તો તેના ખર્ચની જવાબદારી સરકારની રહેશે નહીં. તેઓએ કહ્યું કે તેમના ક્વોરન્ટાઈન અને આઈસોલેશનની રજાનો લાભ પણ મેળવી શકશે નહીં.
પંજાબમાં વધી રહ્યો છે કોરોના
પંજાબમાં હાલમાં કોરોના વધી રહ્યો છે. 20 ફેબ્રુઆરીએ 358 કેસ આવતાં સક્રિય કેસ 3000 થા છે. સ્વાસ્થ્ય મંત્રી સિદ્ધુએ કહ્યું કે કોરોના ખતમ થયો નથી. આ સાથે જ દરેકે માસ્ક પહેરવું, હેન્ડ સેનેટાઈઝેશન કરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે.
ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 240 કેસ
મહારાષ્ટ્રના સીઓવીઆઈડી ટાસ્ક ફોર્સના સભ્ય શશાંક જોશીએ કહ્યું કે ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના 240 કેસ આવ્યા છે. સરકારે પહેલા ચરણમાં 3 કરોડ હેલ્થ વર્કર્સને વેક્સીન આપવાની યોજના બનાવી છે. આ પછી 27 કરોડ લોકો અને 50થી વધારે ઉંમરના લોકોને વેક્સીન અપાશે.