મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ કંપનીનો વધુ એક ડામ ચપાયો છે. પેટ્રોલ-ડીઝલ બાદ નેચરલ ગેસમાં તોતિંગ ભાવ વધારો સોમવારથી અમલી બનશે.
નેચરલ ગેસના ભાવમાં તોતિંગ વધારો
અસહ્ય ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગને ફટકો
સોમવારથી બનશે નવો ભાવ વધારો અમલી
દિન-પ્રતિદિન વઘતા જતા ભાવ વધારા અને અસહ્ય મોંઘવારી હવે દિવાળીના પવિત્ર તહેવારોમાં રડાવી નાખે તેવી સ્થિતિ આવી છે.ત્યારે, મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસ કંપનીનો વધુ એક ડામ ચપાયો છે. પેટ્રોલ-ડીઝલ બાદ નેચરલ ગેસમાં તોતિંગ ભાવ વધારો સોમવારથી અમાલી બનશે. નેચરલ ગેસના ભાવમાં કર્યો 11.70 રૂપિયાનો વધારો થતા સિરામિક ઉઘોગને કમરતોડ ફટકો પડવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. ગુજરાત ગેસ કંપની નવો ભાવ 1 નવેમ્બરથી અમલમાં મુકશે. અત્યાર સુધી જે નેચરલ ગેસનો ભાવ 47.50 હતો તે સોમવારથી હવે 62.51 રૂપિયા ચુકવવા પડશે.
મોરબીનો નળિયા ઉદ્યોગ;માઠી બેઠી છે
મોરબીની એક સમયે શાન ગણાતો નળિયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે.હાલ 350માંથી 30 જેટલી જ નળિયાની ફેકટરીઓ બચી છે. એ પણ અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહી છે.કારણ કે હાલ કોલસાની અછતને લીધે આ ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મુખ્ય ઈંધણ સમાન કોલસો ન મળતા નળિયા ઉધોગની 30 ફેકટરીઓ ચોમાસાના ચાર મહિના પછી ચાલુ જ થઈ નથી. આવીને આવી ગંભીર પરિસ્થિતિ રહી તો નળિયા ઉધોગને ટૂંકાગાળામાં નામશેષ થતા વાર નહિ લાગે.
નળિયા ઉદ્યોગનાં વળતા પાણી
મોરબીમાં એક સમયે નળિયા ઉધોગનો સુવર્ણ સમય હતો. તે સમયે સીરામીક ઉધોગનું અસ્તિત્વ જ ન હતું અને લોકો પણ ઇમારતવાળા મકાનોને બદલે બેઠાઘાટના નળિયાવાળા મકાનો જ બનાવતા આથી ઘર આંગણે તો ઠીક બહારના રાજ્યો તેમજ ઇવન વિદેશમાં પણ મોરબીના નળીયાની ડિમાન્ડ રહેતી હતી. આથી તે સમયે મોરબીમાં 350 થી વધુ નળિયાની ફેકટરીઓ હતી.પણ 1991 પછી સીરામીક ઉધોગનો ઉદય થતા અને લોકોમાં પણ ઇમારતવાળા મકાનોની ઘેલછાને કારણે નળિયા ઉધોગના વળતા પાણી શરૂ થયા છે. આજે પરિસ્થિતિ એવી આવી છે કે મોરબીમાં 250માંથી 30 જેટલી જ નળિયાની ફેકટરીઓ ચાલુ છે.
લીગ્નાઈટની પણ અછત
છેલ્લા બે દાયકામાં નળિયા ઉધોગને વારંવાર મરણોતલ ફટકા પડ્યા છે. જેમાં હાલ દેશભરમાં ચાલી રહેલી કોલસાની અછતે આ ઉધોગને મુશ્કેલી મૂકી દીધો છે. નળિયા ઉધોગમાં મુખ્ય ઈંધણ કોલસો છે. જો કોલસો ન હોય તો આ ઉધોગ ચાલી જ ન શકે.આથી હાલ કોલસો ન મળવાથી નળિયા ઉધોગ હજુ બંધ છે. ખાસ કરીને ચોમાસામાં આ ઉધોગ ચાર મહિના બંધ રહે છે અને નવરાત્રી આસપાસ ભઠ્ઠી સહિતના રિપેરીગ કામ બાદ ચાલુ થઈ જતો હોય છે. પણ આ વખતે કોલસો ન મળતા હજુ સુધી આ ઉધોગ ચાલુ જ થયો નથી અને 28 - 30 ફેકટરીઓ બંધ છે. જો કે વાવાઝોડાને કારણે નળિયાની મસમોટી ડિમાન્ડ નીકળી હતી. પરંતુ કોલસાના અભાવે ઉત્પાદન થઈ શક્યું નથી. આ વર્ષે લિગ્નાઇટ મળવાની સંભાવના નથી તેવું ઉદ્યોગપતિઓને લાગી રહ્યું છે. જો કે લિગ્નાઇટ મળવા મામલે તેઓએ મંત્રી બ્રિજેશ મેરજા ને રજૂઆત પણ કરી હતી. હજુ એક મહિનો કે તે થી વધુ સમય લિગ્નાઇટ મળવામાં લાગી શકે છે. નલિયા ઉદ્યોગમાં ઘણા લોકો ને રોજગારી આપે છે. ચોમાસા ના ચાર મહિના નલિયા ઉદ્યોગ બંધ હોય છે ત્યારે પણ તેમના મજૂરોને વેતન આપવામાં આવે છે હાલ દિવાળી આવી રહી છે ઉદ્યોગ ની ફેકટરીઓ બંધ છે માટે મજૂરોની સ્થિતિ પણ કફોડી બની છે.
ઉદ્યોગ નામશેષ થવાના આરે
મોરબી શહેરની આસપાસ હાલ 30 જેટલા નળિયાની ફેકટરીઓ આવેલી છે જે 10 માં મહિનાથી નળિયાનું ઉત્પાદન શરૂ કરે છે અને ચોમાસા સુધી ચાલુ રાખે છે. કારણ કે ચોમાસા દરમિયાન વરસાદ થવાથી નલિયા માટેનો કાચો માલ બની શકતો નથી. ચોમાસુ પૂરું થઇ ગયા બાદ નલિયા ઉદ્યોગ ફરી ધમધમવા લાગે છે ત્યારે લિગ્નાઇટ કોલસો ન આવતા હાલ તમામ ફેકટરીઓ બંધ છે. લિગ્નાઇટ કોલસ વગર આ ફેકટરીઓ શરુ કરવી મુશ્કેલ છે. ઇન્ડોનેશિયા કોલ નો ઉપયોગ પણ નથી કરી શકતા કારણકે ઈન્ડોનેશિયન કોલ લિગ્નાઇટ કોલ ના ભાવ કરતા વધારે મોંઘો પડે છે. જેથી લિગ્નાઇટ કોલસો જ્યાં સુધી નલિયા ઉદ્યોગ ને મળે નહિ ત્યાં સુધી આ ઉદ્યોગ ને ધમધમતો થઈ શકે નહિ. નળિયા ઉધોગમાં વપરાતો લિગ્નાઇટ કોલસો કચ્છમાંથી આવે છે. અગાઉ કચ્છમાંથી 3200 થી 3300 ટન જેવો કોલસો આવતો હતો અને એનો ભાવ 4 હજાર જેવો થઈ ગયો છે. આ મોંઘા ભાવ ચૂકવવા છતાં કોલસો મળતો નથી. આવીને આવી ગંભીર પરિસ્થિતિ રહી તો નળિયા ઉધોગને ટૂંકાગાળામાં નામશેષ થતા વાર નહિ લાગે.