મોંઘવારીથી ત્રસ્ત લોકોને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં અનેક આકરા અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે.
મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર
લોટ અને ચોખાના ભાવમાં થયો ઘટાડો હતો
તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલ ભાવોમાં પણ થયો હતો ઘટાડો
ચારેયતરફથી મોંઘવારીથી ત્રસ્ત લોકોનો રાહત આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં અનેક આકરા અને મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેની અસર હવે ધીમે ધીમે જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસમાં લોટથી લઈને ચોખાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સામાન્ય લોકોને થોડી રાહત મળી છે.
લોટ અને ચોખાના ભાવમાં ઘટાડો થયો હતો
એક મિડીયાના અહેવાલ મુજબ લોટના ભાવમાં 5% અને ચોખાના ભાવમાં 7%નો ઘટાડો થયો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન આ ઘટાડો જોવા મળ્યો છે. ઘઉંના સ્થાનિક ભાવને નિયંત્રિત કરવા માટે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
બજારમાં ક્યાં કેટલો છે ભાવ ?
રિપોર્ટ અનુસાર પશ્ચિમ અને પૂર્વ ભારતની મંડીમાં ઘઉં રૂ. 23 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જ્યારે ઘઉંના મોટા ઉત્પાદક વિસ્તાર એવા ઉત્તર ભારતના લોકોને મંડીમાં એક કિલોના 22 રૂપિયા ખર્ચવા પડે છે. જ્યારે મોંઘા પરિવહનના કારણે એક કિલો ઘઉં રૂ.26માં ખરીદવો પડે છે.બીજી બાજુ જો આપણે છૂટક કિંમતોની વાત કરીએ તો, પશ્ચિમ ભારતમાં ઘઉં 30 રૂપિયા પ્રતિ કિલો જ્યારે દક્ષિણ ભારતમાં 33 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. અને આ નિર્ણયની અસર ટ્રાન્સપોર્ટ ખર્ચ પર પણ જોવા મળી છે.