પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શ્રમિકો માટે ખુબ મહત્વની સાબિત થશે. આ યોજના હેઠળ રિક્શા ચાલક, નિર્માણ કાર્ય કરનારા શ્રમિક વગેરે લોકોને ફાયદો મળશે.
રોજ 2 રૂપિયા બચાવી કરો ઇનવેસ્ટ
મહીને મળશે 3000 રૂપિયા પેન્શન
36000 વાર્ષિક પેન્શન મેળવી શકશો
55 રૂપિયા મહિને જમા કરવા પડશે
આ સ્કીમ શરૂ કરવા પર તમારે મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. 18 વર્ષની ઉંમરના લોકો રોજ 2 રૂપિયા બચાવીને વાર્ષિક 36000 રૂપિયાનું પેન્શન મેળવી શકો છો. જો કોઇ વ્યક્તિ 40 વર્ષની ઉંમરમાં આ સ્કીમ શરૂ કરશે તો તેને મહિને 200 રૂપિયા જમા કરાવવા પડસે. 60 વર્ષની ઉંમર પત્યા બાદ મહિને 3000 રૂપિયા પેન્શન મળતું શરૂ થઇ જશે.
આ દસ્તાવેજ જરૂરી
આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે સેવિંગ બેન્ક અકાઉન્ટ અને આધારકાર્ડ હોવું ખુબ જરૂરી છે. વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધારે અને 40 વર્ષથી ઓછી હોવી જોઇએ.
કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન
આ યોજના માટે તમારે કોમન સર્વિસ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાં જઇને તમે પોતાનું શ્રમિક કાર્ડ કઢાવી શકશો અથવા સરકારે એક વેબ પોર્ટલ બનાવ્યું છે તેમાં પણ અપ્લાય કરી શકશો.
આ જાણકારી આપવી પડશે
રજીસ્ટ્રેશન માટે તમારે પોતાનું આધારકાર્ડ, બચત કે જનધન બેન્કની પાસબૂક તેમજ મોબાઇલ નંબર આપવો પડશે. તે સિવાય સહમતિ પત્ર આપવો પડશે જ્યાં તમારુ ખાતું હશે, જેથી તે ખાતામાંથી પેન્શન માટે પૈસા કાપવામાં આવે.