શું તમે પણ જુના દેવાથી પરેશાન છો? તો ગણેશ ચતુર્થીએ આ ઉપાય કરો
થશે દરેક દુઃખ દૂર
વિધ્નહર્તા થશે પ્રસન્ન
જુના દેવામાંથી મળશે મુક્તિ
જો તમે પણ પોતાના જુના દેવાથી પરેશાન છો અને ખૂબ કોશિશો કર્યા બાદ પણ આ સમસ્યાથી મુક્તિ નથી મળી રહી તો પરેશાન ન થાઓ. તમે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2021)ના દિવસે અમુક ખાસ ઉપાયો કરીને દેવામાંથી મુક્તિ મળવી શકો છો.
કોઈ જરૂરીયાતમંદને કરો દાન
જો તમારા પર વર્ષોથી કોઈ જુનું દેવું ચાલી રહ્યું છે અને તેને તમે ઉતારી નથી શકતા તો એવામાં ગણેશ ચતુર્થીના દિવસે (Ganesh Chaturthi 2021) કોઈ જરૂરીયાતમંદને લીલા રંગના વસ્ત્રોમાં ધાણા બાંધીને દાન કરી દો. માનવામાં આવે છે કે આમ કરવાથી દેવું જલ્દી ઉતરી જાય છે.
જો ઘરમાં ધન સંબંધી કોઈ મુશ્કેલી થઈ રહી છે. બેસિક જરૂરીયાતો માટે પણ પૌસા નથી બચાવી રહ્યા તો ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2021)ના દિવસે ગાયને ઘાસ અથવા કાચા લીલા શાકભાજી ખવડાવો. માન્યતા છે કે આમ કરવાથી ધન સંબંધિત દરેક મુશ્કેલીઓ સરળતાથી દૂર થઈ જાય છે. સાથે જ જુનુ દેવું પણ ઉતરી જશે.
વિનાયકને લાગાવો લાડવાનો ભોગ
સંબંધીઓ પાસેથી લીધોલુ દેવું ઉતારવા માટે ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2021)એ વિનાયકને 5 લાડવાનો ભોગ લગાવો. ત્યાર બાદ તેની આસપાસ જળનો છંટકાવ કરો. પછી મનમાં જ ગણેશજી (Lord Ganesha) પાસે દેવામાં રાહત આપવાની પ્રાર્થના કરો. થોડા જ સમય બાદ દેવું ધીરે ધીરે ઓછુ થવાનું શરૂ થઈ જશે.
આ રીતે પ્રસન્ન થાય છે ગણેશજી
જો તમે દેવું લેવા માટે પત્નીના ઘરેમા ગિરવે મુક્યા છે પરંતુ ઈચ્છા હોવા છતાં તેને છોડાવી નથી શકતા. એવામાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપ્પાને ધરો ઘાસના 21 પત્તા અર્પિત કરો. સાથે જ તેમને ગોળ પણ ચઢાવો. માન્યતા છે કે આમ કરવાથી ગણેશજી (Lord Ganesha) પ્રસન્ન થઈ જશે અને દેવામાંથી રાહત મળી જશે.