દુનિયાના કેટલાક એવા લોકો છે જેમને ફળ ખાવાનું પસંદ છે. તો કેટલાક લોકો એવા છે લીલી શાકભાજી અને ફળ પોતાના સ્વાસ્થ્ય માટે ખાય છે. ચલો આજે અમને તમને એક એવા ફળ માટે જણાવીએ છીએ જેને ખાવાથી તમે ઘણી બધી બીમારીઓથી બચી શકો છો. જી હા અંજીર એક એવું ફળ છે જે સ્વાદની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.
ભારતમાં આ સૂકા ફળની જેમ પણ મળે છે. પરંતુ મોટાભાગનો લોકો તાજું અંજીર ખાવાનું જ પસંદ કરે છે. એમાં ઓછી કેલેરી અને શુગર હોય છે જે ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.
અંજીર ફાઇબરનો પાવરહાઉસ હોય છે. આ પાચનક્રિયાને ઠીક કરે છે. એ ખાવાથી ભૂખમાંથી રાહત મળે છે અને ફરી જલ્દીથી ભૂખ લાગતી નથી અને વજન ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે.
અંજીર ખાવાથી કબજિયાત થતી નથી. સૂકાયેલું અંજીર ખાવાથી પેટ દુખાવાથી પણ રાહત મળે છે.
બવાસીર કબજિયાતથી પેદા થતી બીમારી છે. આ પાચનક્રિયામાં ખરાબીના કારણે થાય છે. એના માટે દરરોજ 2-3 અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે એનું સેવન કરો.