નવું વર્ષ એટલે 2020ની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષની શરૂઆતની સાથે લોકોને એકસાથે ઘણાં સારાં સમાચાર મળ્યા છે. જેમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સહિત લોન અને આધારથી જોડાયેલ સુવિધાઓ મળવાની છે. આ સિવાય ટીવી રિચાર્જથી લઈ ટ્રાઈએ પણ ખુશખબરી આપી છે. ચાલો જાણીએ તેના વિશે.
વર્ષ 2020ની શરૂઆતથી જ સામાન્ય જનતાને મળશે આ લાભ
12 રાજ્યોમાં શરૂ થઈ 'વન નેશન વન રાશનકાર્ડ' સુવિધા
રેલ્વેનો ઓલ ઈન વન હેલ્પલાઈન નંબર થયો એક્ટિવ
ATMમાંથી કેશ કાઢવામાં ફેરફાર
એસબીઆઈએ એટીએમમાં કેશ કાઢવાનો નિયમ પણ બદલ્યો છે. હવે 10,000 રૂપિયાથી વધુ કેશ ટ્રાન્ઝેક્શન પર બેંક વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) જનરેટ કરશે. જેમાં સવારે 8થી રાતે 8 વાગ્યા સુધી એટીએમમાંથી કેશ કાઢવા માટે તમારે બેંકમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલું ઓટીપી એન્ટર કરવું પડશે.
ટ્રાઈએ આપી ખુશખબરી
કેબલ ટીવી પર ટ્રાઈની નવી ટેરિફ લિસ્ટ પ્રમાણે, 1 માર્ચથી યુઝર 130 રૂપિયામાં 100ની જગ્યાએ 200 ફ્રી ચેનલ સિલેક્ટ કરી શકશે. બુકેમાં ચેનલના રેટ 12 રૂપિયાથી વધુ નહીં હોય.
એસબીઆઈની હોમ લોનમાં બદલાવ
1 જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની હોમ લોન પર એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ડ રેટ (ઈબીઆર)ના વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો થયો છે. હવે એસબીઆઈની હોમ લોન પર લઘુતમ વ્યાજદર 7.90 ટકા થઈ ગઈ છે.
રેલ્વેનો એક હેલ્પલાઈન નંબર
1 જાન્યુઆરીથી ભારતીય રેલ્વેએ અનેક હેલ્પલાઈન નંબરની જગ્યાએ માત્ર 139 નંબર એક્ટિવ કર્યો છે. એટલે કે યાત્રીઓએ હવે અલગ-અલગ નંબર યાદ રાખવાની જરૂર નથી. માત્ર 139 નંબર દ્વારા રેલ્વેથી જોડાયેલી સમસ્યાઓનું નિવારણ આવી જશે.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં રાહત
1 જાન્યુઆરીથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT)માં ફ્રીમાં ફંડ ટ્રાન્સફરની સુવિધા મળશે અને 2 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. આ સુવિધા અઠવાડિયાના સાતેય દિવસ અને 24 કલાક મળશે. આ રીતે રૂપે કાર્ડ અને UPI ડિજિટલ ચૂકવણી પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટમાં પણ રાહત મળી છે.
28 નવા આધાર કેન્દ્ર ખુલશે
UIDAIએ દેશમાં 28 નવા આધાર કેન્દ્ર ખોલ્યા છે. આ સરકારી રજાઓ સિવાય સપ્તાહના સાતેય દિવસ ખુલ્લા રહેશે. આ કેન્દ્ર પર આધારમાં એડ્રેસ, મોબાઈલ નંબર વગેરે ડિટેલ્સમાં સુધારો કરી શકાશે.
આ રીતે ઓળખો નોટ
જે લોકોની દ્રષ્ટિ નબળી હોય હોય અને તેમને કરન્સી નોટ ઓળખવામાં પરેશાની થાય તો આ સમસ્યાને દૂર કરવા માટે RBIએ મોબાઈલ એડેડ નોટ આઈડેન્ટિફિકેશન (MANI) નામથી મોબાઈલ એપ લોન્ચ કરી છે.
12 રાજ્યોમાં એક કાર્ડથી રાશન
એક દેશ-એક રાશનકાર્ડ સ્કીમ બુધવારે મધ્યપ્રદેશ, ગોવા, ઝારખંડ અને ત્રિપુરામાં લાગુ થઈ ગઈ છે. આ રીતે 1 જાન્યુઆરીથી 12 રાજ્યોમાં આ યોજના લાગુ થઈ ગઈ છે. 'વન નેશન વન રાશનકાર્ડ' એ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજના છે, જે અંતર્ગત પીડીએસના લાભાર્થીઓને દેશભરમાં ક્યાંય પણ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ સંચાલિત રાશન શોપમાંથી તેમના ભાગનું રાશન મળશે.