કોરોના મહામારીએ દસ્તક દિધી ત્યારથી આજ સુધી આપણે સતત કોરોના અને તેની પરીસ્થીતીને લઇને વાત કરતા રહ્યા છીએ. હવે થોડા સમયથી કોરોનાનો આતંક ઘટ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, કોરોનાની ત્રીજી લહેર તો આવી પણ એટલી ઘાતક પુરવાર થઇ નથી તેની નિંરાત આપણા દેશે અનુભવી છે. થોડા દિવસોથી કોરોનાનો વ્યાપ સતત ઘટી રહ્યો છે અને તેને કારણે સરકારે જનતા પર મુકેલા નિયંત્રણો પણ સાવ હળવા કરી દીધા છે. જનતા હવે ખુબ લાંબા સમય બાદ પોતાની રૂટીન લાઇફમાં પરત ફરી શકી છે અને નિંરાત પણ અનુભવી રહી છે. પણ એક વાત એ નથી સમજાતી કે કોરોનાનું સંક્રમણ ઘટ્યા બાદ પણ કેમ માસ્કના નિયમોમાં રાહત આપવામાં આવી નથી, કોરોનાના સમય દરમિયાન અધધ માસ્કનો દંડ જનતા પાસેથી વસુલવામાં આવ્યો છે. જે આંક સામે આવ્યો છે માસ્કના દંડનો તે છે 2 અબજ 93 લાખ જી હાં એ આંક છે 2 અબજ 93 લાખ. ત્યારે હવે આ મસમોટા દંડ અને માસ્કમાંથી મુક્તિ આપવાની માંગ ઉઠી છે.
IMA સાથે સંકળાયેલા તબીબોએ લખ્યો પત્ર
ફરજિયાત માસ્કનો નિયમ રદ કરવા IMA સાથે સંકળાયેલા તબીબોએ સરકારને પત્ર લખ્યો છે.કોરોના કેસ ઘટતા ફરજિયાત માસ્કના નિયમથી મુક્તિ અપાય તેવી માંગ કરવામાં આવી છે. તેના કારણ રૂપે ફરજિયાત માસ્કના નિયમથી લોકોને પરેશાન કરવામાં આવી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે દિલ્લીમાં આજથી ફરજિયાત માસ્કના નિયમમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.
માસ્કના નામે પોલીસ પજવણીમાંથી છુટકારો આપો: જનતા
દેશ અને રાજ્યમાં કોરોનાના વળતા પાણી થયા છે. ત્યારે VTV ન્યૂઝે માસ્કના નિયમને લઇને જનતાનો મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં લોકોએ પણ એક સૂરે માસ્કથી મુક્તિ જોઇએ છે તેવો અભિપ્રાય રજૂ કર્યો છે તેમજ માસ્કના નિયમથી પોલીસ પજવણી કરતી હોવાનો પણ દરેક જનતાએ આરોપ લગાવ્યો છે.
2 અબજ 93 લાખની આવક માસ્ક દંડથી થઈ
માસ્કનો લઈને હાલ તો સરકારને 2 અબજ 93 લાખની આવક થઈ છે..મોંઘવારી, પેટ્રોલ દિજલનો ભાવ વધારો અને છેલ્લે માસ્કન દંડનો બીજો પ્રજાએ ઉઠાવવો પડી રહ્યો છે..માસ્કથી સંક્રમણ ઘટે કે ન ઘટે પણ સરકારની તિજોરી ભરાઈ રહી છે.માસ્કથી સરકારને જે આવક થઈ રહી છે તેનો ઉપયોગ ક્યાં થશે તેનો સરકારે કોઈ ખુલાસો કર્યો નથી પણ આ રકમ આરોગ્ય સંસાધન પાછળ ખર્ચ થાય તેવું સૌ કોઈ ઇચ્છી રહ્યા છે.