સાર્વજનિક ક્ષેત્રની સિન્ડિકેટ બેંકે વિભિન્ન પરિપક્વતા સમય માટે ભંડોળની માર્જિનલ ખર્ચ આધારિત લોન વ્યાજ દર (MCLR) માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 15 જૂથની લાગૂ છે. આ સંદર્ભમાં બેન્કે શેર બજારોને સૂચના આપી અને કહ્યું કે એક વર્ષની બેન્ચમાર્ક એમસીએલઆરને ઘટીને 8.60 ટકા કરવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં આ દર 8.65 ટકા હતો. એક દિવસ, એક મહીના, ત્રણ મહીના, અને છ મહીનાની એમસીએલઆરને 0.05 ટકા ઘટાડીને ક્રમશ: 8.15 ટકા, 8.45 ટકા અને 8.55 ટકા કરી દેવામાં આવી છે. જ્યારે બેન્કે પોતાનો આધાર દરને 9.50 ટકા કાયમ રાખ્યો છે.
આરબીઆઇના ગવર્નરનું નિવેદન
આ પહેલા આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસનું કહેવું હતું કે રેપોરેટમાં કરવામાં આવેલો ઘટાડાનો લાભ બેન્ક જલ્દી જ ગ્રાહકોને પહોંચાડશે. 2019માં અત્યાર સુધીમાં રેપોરેટમાં 0.75 ટકાનો ઘટાડો કરવામાં આવી ચૂક્યો છે. અને વર્તમાન રેપોરેટ 5.75 ટકા છે.
ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સે પણ ઘટાડો હતો MCLR
સાર્વજનિક ક્ષેત્રની ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ (ઓબીસી) એ પણ એમસીએલઆરમાં 0.10 ટકા સુધી ઘટાડો કર્યો હતો. તેની સાથે નવા વ્યાજ દરમાં એક દિવસ માટે 8.20 ટકા અને એક મહીના સમયગાળા માટે 8.25 ટકા થઇ ગયો છે. આ પ્રકારે બેન્કે ત્રણ માસ, છ માસ અને એક વર્ષના સમયગાળા માટે લોન પર વ્યાજ દરને 0.05 ટકા ઘટાડ્યો છે. અત્યાર સુધી જે દર ત્રણ માસ માટે 8.50 ટકા, છ માસ માટે 8.60 અને એક વર્ષ માટે 8.70 ટકા હતો તે ગુરુવારે ક્રમશ: 8.45, 8.55, 8.65 ટકા હશે.
SBIએ પણ કર્યો હતો ઘટાડો
મંગળવારે દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) એ પોતાની તમામ લોન પર માર્જીનલ ખર્ચમાં 0.05 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેન્કની તરફથી કહેવામાં આવ્યું હતું કે નવા દર બુધવારેથી લાગુ થઇ જશે.
જાહેરાતમાં કહેવામું આવ્યું હતું કે એક વર્ષના સમયગાળાની લોન પર માર્જીનલ ખર્ચ આધારિત વ્યાજ દર (MCLR) એટલે કે લોનની લઘુત્તમ વ્ચાજ દર 0.05 ટકા ઘટીને 8.40 ટકા કરી દેવામાં આવ્યો છે.