બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટ્રેન મુસાફરી દરમિયાન માત્ર 45 પૈસામાં જ મળે 10 લાખ સુધીનો વીમો, મોટાભાગના મુસાફરો અજાણ

તમારા કામનું / ટ્રેન મુસાફરી દરમિયાન માત્ર 45 પૈસામાં જ મળે 10 લાખ સુધીનો વીમો, મોટાભાગના મુસાફરો અજાણ

Last Updated: 10:42 PM, 18 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં દર વર્ષે અનેક રેલવે અકસ્માત થાય છે. લોકો રેલવેમાં મુસાફરી તો કરે છે પણ મોટા ભાગના મુસાફરોને એ વાતની જાણ નથી હોતી કે રેલવેમાં ટ્રાવેલ દરમિયાન તેમને 10 લાખ સુધીનો ઇન્શ્યોરન્સ મળે છે.

ભારતીયો લાંબી મુસાફરી માટે આજે પણ રેલવે પર ભરોષો કરે છે. રેલવેમાં આજે પણ સસ્તામાં મુસાફરી કરી શકાય છે. લાખો લોકો રેલવેની સુવિધાનો લાભ લે છે. પરંતુ આ સાથે રેલવેમાં દુર્ઘટના કિસ્સા પણ સામે આવતા રહે છે. જેમાં કેટલાક કિસ્સામાં તો મોટા પાયે પણ જાનહાનિ થતી હોય છે. પણ ખૂબ ઓછા લોકોને એ વાતની જાણ હશે કે રેલવેની ઓનલાઇન ટિકિટ બુકિંગ એપ IRCTCમાં 45 પૈસામાં 10 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે.

આ રીતે મળશે લાભ

જ્યારે તમે IRCTCની વેબસાઈટ પર ટિકિટ બુક કરાવો છો ત્યારે "ટ્રાવેલ ઇન્શ્યોરન્સ"નો વિકલ્પ બાય ડિફોલ્ટ તરીકે મળે છે. જો તમે ઇન્શ્યોરન્સ લેવા ના ઈચ્છતા હોય તો "No" વિકલ્પ પસંદ કરવો. જો રેલવેમાં મુસાફરી વખતે કોઈ અકસ્માત થઈ જાય તો તમને ઇન્શ્યોરન્સનો લાભ મળશે. આ વીમો કોઈ પણ પ્રકારના નુકશાનનું વળતર આપે છે. રેલવે અકસ્માતના 4 મહિનામાં ક્લેમ કરી શકો છો.

નોમિની ડિટેઈલ્સ ભરવી જરૂરી

તમે IRCTC પર ટિકિટ કરાવો છો ત્યારે બાદ તમારા નંબર કે ઈ-મેઇલ પર ઇન્શ્યોરન્સથી જોડાયેલ મેસેજ મોકલવામાં આવે છે. તેમાં આપેલી એક લિંકમાં તમારી નોમિનીની ડિટેઈલ્સ ભરવાની હોય છે. જેમાં પરિવારના કોઈ સભ્યનું નામ, મોબાઈલ નંબર, બર્થ ડેટ, સંબંધ, ઈ-મેઈલની માહિતી ભરવી. આ વિગત ભરવી જરૂરી હોય છે. જો કોઈ અકસ્માત થાય તો ઇન્શ્યોરન્સ ક્લેમ કરવામાં કોઈ મુશ્કેલી નથી આવતી.

આટલી મળે છે ઇન્શ્યોરન્સની રકમ

  • જો રેલવે અકસ્માતમાં મુસાફરનું મૃત્યુ થઈ જાય કે પછી જિંદગીભર માટે અપંગ થઈ જાય તો 10 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ મળે છે.
  • જો આંશિક અપંગ થાવ છો તો 7.5 લાખ રૂપિયા મળે છે
  • ગંભીર રીતે ઘાયલ થવા પર 2 લાખ રૂપિયા મળે છે.
  • જો સામન્ય ઈજા થઈ હોય તો 10 હજાર મળે છે.

કોને મળે છે લાભ?

IRCTCમાં નવા ટ્રાવેલ ઈન્શ્યોરન્સનો ફાયદો માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે છે. તેનો લાભ વિદેશી નાગરિકોને નથી આપવામાં આવતો. આ સિવાય કાઉન્ટરથી ટિકિટ ખરીદનાર અને જનરલ કોચમાં મુસાફરી કરનારને પણ તેનો લાભ નથી મળતો.

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Travel Insurance Railway Rules Travel Insurance
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ