ગરુડ પુરાણમાં કેટલીક વસ્તુઓને એટલી શુભ માનવામાં આવી છે કે તેને જોવા માત્રથી વ્યક્તિને ખુબ પુણ્ય મળે છે. તેમાં ગાયનું દુધ, ગૌમૂત્ર વગેરે સામેલ છે. ગૌશાળા અને મંદિર જવા જેટલુ પવિત્ર માનવામાં આવ્યું છે.
ગરુડ પુરાણ પ્રમાણે પાપ પુણ્યના પ્રમાણ
કેટલીક વસ્તુઓ જોવાથી મળશે પુણ્ય
ગૌમૂત્ર જોવાથી જ મળી જશે પુણ્ય
ગરુડ પુરાણમાં જીવન મૃત્યુ અને મૃત્યુ બાદ જીવન વિષે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. તે સિવાય તેમાં પાપ-પુણ્ય અને દેવી દેવતાઓની કૃપા મેળવવા તેમજ સારુ જીવન જીવવા માટેના રસ્તા બતાવ્યા છે. કેટલીક વસ્તુઓને જોવાથી માતા લક્ષ્મી થઇ જાય છે પ્રસન્ન અને તેમના ઘરમાં હંમેશા માટે વાસ કરે છે.
ગાયનું દૂધ
ગાયનું દૂઘ માત્ર હેલ્થ માટે નહી પરંતુ ગરુડ પુરાણ અનુસાર ગાયનું દૂધ જોઇ લેવાતી વ્યક્તિને ખુબ પુણ્ય મળે છે અને સવારે ગાયનું દૂધ જોવાથી ખુબ ફાયદો થાય છે.
ગૌમૂત્ર
ગૌમૂત્રનો ઉપયોગ ઘણા લોકો ઔષધિ તરીકે કરે છે, તેમજ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્રમાં ગંગાનો વાસ હોય છે. તો ગૌમૂત્રને જોઇ લેવાથી ઘણું પુણ્ય મળે છે.
ગૌશાળા
ગાયોને રાખવાના સ્થાન એટલે કે ગૌશાળાને જોવાથી ખુબ પુણ્ય મળે છે. ગૌશાળા બનાવનારને મંદિરનું નિર્માણ કરવા જેટલુ પુણ્ય મળે છે.
ધૂળ
કહેવામાં આવે છે કે ગાયના પગ તીર્થ સમાન હોય છે માટે ગાયે જે જમીન ખોતરી હોય કે ખોદી હોય તે માટીને જોવાથી પણ તમને પુણ્ય મળે છે. a