પીએમ મોદીની ઉજ્જવલા યોજના હેઠળ મફતમાં એલપીજી સિલેન્ડર આપવામાં આવી રહ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 6 કરોડ લોકોને એલપીજી સિલેન્ડર આપવામાં આવ્યા છે. જે લોકોએ હજુ સુધી આ યોજનાનો લાભ ઊઠાવ્યો નથી તેઓને જણાવી દઇએ કે જેમની પાસે જરૂરી ડોક્યૂમેન્ટ છે અને સરકારના નક્કી કરેલા નિયમના દાયરામાં આવો છે તો ગેસ એજન્સી તમને એલપીજી સિલેન્ડર આપવા માટે ના પાડી શકશે નહીં.
કોને મળશે યોજનાનો લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વર્ષ 2011ની જનગણનાના હિસાબથી જે પરિવાર બીપીએસ કેટેગરીમાં આવે છે એમને યોજનાનો લાભ મળી શકે છે. અરજીકર્તા મહિલા હોવી જોઇએ જેની ઉંમર 18 વર્ષથી ઓછી ના હોય. મહિલા બીપીએલ પરિવારથી હોવી જોઇએ. અરજીકર્તાના ઘરમાં કોઇના નામથી પહેલા એલપીજી કનેક્શન હોવું જોઇએ નહીં. અરજીકર્તાની પાસે બીપીએલ કાર્ડ અને બીપીએલ રાશન કાર્ડ હોવું જોઇએ.
આવી રીતે કરો અરજી
એલપીજી ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઇ ફણ મહિલા અરજી કરી શકે છે. એના માટે તમારે કેવાયસી ફોર્મ ભરીને નજીકની એલપીજી કેન્દ્રમાં જમા કરવું પડશે. યોજનામાં અરજી માટે 2 પેજનું ફોર્મ જરૂરી દસ્તાવેજ નામ સરનામું બેંક અકાઉન્ટ નંબર આધાર નંબર વગેરેની જરૂર પડશે. અરજી કરતી વખતે જણાવવું પડશે કે તમે 14.2 કે 5 કિલોગ્રામનો સિલેન્ડર લેવા ઇચ્છો છો
જરૂરી ડોક્યૂમેન્ટ
પંચાયત અધિકારી અથવા નગર નિગમ પાલિકા અધ્યક્ષની તરફથી અધિકૃત બીપીએલ કાર્ડ