મોદી સરકારે ગરીબ પરિવારોની સુવિધા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. તેમાં એક સ્કીમ છે જેમાં ગરીબ પરિવારોને ફ્રીમાં ગેસ સિલિન્ડર કનેક્શન આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સ્કીમ આજે 30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે. તો જાણી લો કોણ, કયા ડોક્યુમેન્ટ્સ સાથે હજુ પણ આજે કરી શકે છે અરજી અને લો સ્કીમનો લાભ.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો આજે છેલ્લો દિવસ
ફ્રી ગેસ સિલિન્ડર કનેક્શનનો લઈ લો લાભ
આ ડોક્યુમેન્ટ્સ અને પ્રોસેસથી કરો ફટાફટ અરજી
કેન્દ્ર સરકારે 1 મે 2016માં પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ઈંધણ, સુંદર જીવનના નારા સાથે આ સામાજિક કલ્યાણ યોજના પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂાત કરી હતી. યોજનાનો ઉદેશ્ય મહિલા સશક્તિકરણને વેગ આપવાનો હતો. આ સાથે સ્વાસ્થ્ય સંબંધિત ખતરાને રોકવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે આજે 30 સપ્ટેમ્બર 2020ના રોજ પૂર્ણ થઈ રહી છે.
આ રીતે ફટાફટ કરી લો અરજી
સૌ પહેલાં તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
અહીં તમારી સામે એક હોમ પેજ ખુલશે, તેમાં ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો.
ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ તેમાં તમામ જાણકારી ભરો. જેમકે તમારું નામ, તારીખ, સ્થાન.
હવે તમે તેને નજીકના એલપીજી કેન્દ્ર પર જમા કરાવી લો.
આ છે જરૂરી દસ્તાવેજ
બીપીએલ રાશન કાર્ડ
નગરપાલિકા દ્વારા અધિકૃત બીપીએલ પ્રમાણપત્ર
ઓળખપત્ર (આધાર કે મતદાન કાર્ડ)
અત્યારનો પાસપોર્ટ સાઈઝ ફોટો
નામ, બેંક એકાઉન્ટ, આધાર કાર્ડ જેવી જાણકારી
જાણો કોને મળશે ફાયદો
આવેદક મહિલાની ઉંમર 18 વર્ષ હોવી જરૂરી.
અરજી કર્તા પાસે એક ગ્રામીણ નિવાસી બીપીએલ કાર્ડ હોવું જરૂરી.