જો તમારા ખાતામાં હજુ સુધી કિસાન સન્માન નિધિના પૈસા નથી આવ્યા તો આ વાંચી લો
જો આ કામ નહીં કર્યું હોય તો 6000 રૂપિયાનું થઈ જશે નુકસાન
રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો કરાવી લેજો
અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
તમારા ખાતામાં હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિના પૈસા નથી આવ્યા અથવા તો તમે હજુ સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો હવે તમે સરળતાથી કરાવી શકશો. જણાવી દઈએ કે આ સ્કીમ હેઠળ સરકાર દેશના ખેડૂતોને વર્ષના 6 હજાર રૂપિયાથી વધારેની મદદ કરી રહી છે. જો નામ રજીસ્ટર્ડ નથી કરાવ્યું તો આ રીતે કરાવી શકો છો.
ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા
આ સ્કીમમાં રજીસ્ટ્રેશન કરવું ખૂબ જ સરળ છે. તમે ઓનલાઈન ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકો છો. આ ઉપરાંત તમે પંચાયત સચિવ અથવા પટવારી અથવા સ્થાનીક કોમન સર્વિસ સેન્ટર દ્વારા આ યોદનામાં એપ્લાય કરી શકો છો. આ ઉપરાંત તમે પોતાની આ યોજના માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આ પ્રકારે કરી શકો રજીસ્ટ્રેશન
તમારે તેના માટે પહેલા PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
હવે Farmers Corner પર જાઓ
ત્યાં તમને ‘New Farmer Registration’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
તેના બાદ આધાર નંબર નાખવાનો રહેશે.
આ સાથે જ કેપ્ચા કોડ નાખીને રાજ્યને પસંદ કરવાનું રહેશે અને પછી પ્રોસેસને આગળ વધારવાની રહેશે.
આ ફોર્મમાં તમે પોતાની જુની પર્સનલ જાણકારી ભરી શકો છો.
સાથે જ બેન્ક એકાઉન્ટ વિવરણ અને ખેતી સાથે જોડાયેલી જાણકારી પણ ભરવાની રહેશે.
ત્યાર બાદ તમે ફોર્મ સબમિટ કરી શકો છો.
નેક્સ્ટ હપ્તા માટે આપવી પડશે આ જાણકારી
2019માં શરૂ થયેલી આ યોજનામાં પાછલા થોડા સમયથી અનુક ગડબડી જોવા મળી છે. જેને સરકારે સુધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ યોજનામાં પારદર્શિતા લાવવા માટે ઘણા પગલાં ભર્યા છે. કિસાન સન્માન નિધિ યોજનામાં નવું રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને હવે અરજી ફોર્મમાં પોતાની જામીનનો પ્લોટ નંબર ભરવાનો રહેશે. જોકે નવા નિયમોનો પ્રભાવ આ યોજના સાથે જોડાયેલા જુના લાભાર્થીઓ પર નહીં પડે.