જર્મનીએ ભારત સહિત અનેક દેશોના પ્રવાસીઓ પર લગાવેલા પ્રતિબંધો હટાવી દીધા છે.
ભારતીય પ્રવાસીઓને જર્મનીમાં પ્રવેશને પરવાનગી લેવાની રહેશે
દુબઈએ ભારતીયો પર લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આપી
નવા વેરિએન્ટ પર રસીની અસર થવાના કારણે આ છુટ અપાઈ
ભારતીય પ્રવાસીઓને જર્મનીમાં પ્રવેશને પરવાનગી લેવાની રહેશે
દેશની સરકારી એજન્સીએ સોમવારે ભારતને હાઈ ઈન્સીડેન્સ એરિયાજ વર્ગમાં સમેલ કર્યા છે. જે અંતર્ગત ભારતીય પ્રવાસીઓને જર્મનીમાં પ્રવેશને પરવાનગી લેવાની રહેશે. જર્મનીએ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને જોઈને આ પ્રતિબંધ લગાવ્યો હતો. ગત અઠવાડિયે જ દુબઈએ ભારતીયો પર લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ આપી છે. સમાચાર એ છે કે નવા વેરિએન્ટ પર રસીની અસર થવાના કારણે આ છુટ અપાઈ છે.
ક્વોરેન્ટાઈનનો સમય ઘટાડીને 5 દિવસ કરવામાં આવશે
સરકારી એજન્સી રોબર્ટ કોચ ઈન્સ્ટીટ્યૂટે કહ્યું કે ભારત, નેપાળ, રશિયા, પોર્ટુલગ અને બ્રિટનને હાઈ ઈન્સીડેન્સ એરિયાજમાં રાખવામાં આવ્યા છે. આ પહેલા આ દેશોના નામ એરિયાઝ ઓફ વેરિએન્ટ કન્સર્ન’માં સામેલ હતા. પ્રવાસી વર્ગમાં થયેલા ફેરફાર બાદ બિન જર્મન પણ દેશમાં સરળતાથી પ્રવાસ કરી શકશે. હાઈ ઈન્સિડેન્સ એરિયાઝ વર્ગમાં સામેલ દેશોના પ્રવાસીઓને જર્મની પહોંચવા પર ટેસ્ટ કરાવવો પડશે. સાથે 10 દિવસો સુધી ક્વોરેન્ટાઈન રહેવું પડશે. જો તપાસના પરિણામ નેગેટિવ આવે છે તો ક્વોરેન્ટાઈનનો સમય ઘટાડીને 5 દિવસ કરવામાં આવશે.
નવા વેરિએન્ટ પર રસીની અસર થવાના કારણે આ છુટ અપાઈ
હાલના નિયમ મુજબ જર્મની પોતાના નાગરિકોને કોરોનાના નવા વેરિએન્ટથી પ્રભાવિ દેશોમાંથી આવવાની પરવાનગી આપી હતી. આ પ્રવાસીઓને રસી પ્રાપ્ત કરાવ્યા બાદ બે અઠવાડિયા માટે ક્વોરેન્ટાઈન રહેવાનું ફરજિયાત છે. જર્મની તરફથી હટાવામાં આવેલા પ્રતિબંધો અને નવા નિયમો આગામી બુધવાર સુધી લાગુ રહેશે. જો હાઈ ઈન્સિડેન્સ એરિયાઝથી આવનારા પ્રવાસીઓ રસી લગાવી ચૂક્યા છે તો તેમને ક્વોરેન્ટાઈનની છૂટ મળશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં પર રસી લઈ ચૂકેલા ને ભારતમાંથી પ્રવાસ કરવાની પરવાની આપી છે. જો કે તેના માટે કેટલાક નિયમોનું પાલન કરવાનું કહેશે.