યૂરોપીય યુનિયનમાં વૈશ્વિક આંતકીની યાદીમાં મસૂદ અઝહરને સામેલ કરવા માટે હવે જર્મનીએ પહેલ કરી છે. સૂત્રોનું માનીએ તો જર્મનીએ મસૂદ અઝહરને યુરોપીય યૂનિયનમાં વૈશ્વિક આંતકીની યાદીમાં નાખવા માટે અન્ય રાષ્ટ્રોનો સંપર્ક સાધ્યો છે. જો જર્મનીની આ પહેલ સફળ રહી તો યૂરોપીય યુનિયનમાં સામેલ 28 દેશમાં મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત થઈ જશે.
આ સાથે જ મસૂદ આ દેશનો પ્રવાસ પણ નહીં કરી શકે. મહત્વનું છે કે આ પૂર્વે UNમાં અઝહરને વૈશ્વિક આંતકી જાહેર કરવાની પહેલ પર ચીને વીટો લગાવી દીધો હતો. જો કે ત્યાર બાદ 15 માર્ચે ફ્રાંસે પોતાના દેશમાં અઝહર પર આર્થિક પ્રતિબંધ લગાવી દીધો છે.
જર્મની પહેલા ફ્રાંસે પણ આતંકી મસૂદ અઝહરને યૂરોપીય યુનિયનમાં વૈશ્વિક આતંકી જાહેર કરવાની માગ કરી હતી. જોકે હવે જર્મનીએ પણ પહેલ કરી છે. પણ આ પહેલ ત્યારે જ સફળ થશે જ્યારે 28 દેશ તેને સમર્થન આપે.
આમ પુલવામામાં કરાયેલ હુમલામાં ગુનેગાર આતંકી મસૂદ અઝહર પર ફ્રાંસ પછી જર્મની પ્રતિબંધ લગાવી શકે છે. એક મળતાં અહેવાલ મુજબ જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની ભારતની મુહિમને જર્મનીએ સમર્થન આપ્યું છે.
જર્મનીએ મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાના સંકેત આપ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ફ્રાંસે મસૂદ અઝહરની સંપત્તિઓ જપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો. ફ્રાંસે જણાવ્યું હતું કે તેમાં કોઇ શક નથી કે મસૂદ અઝહર વિશ્વ શાંતિ માટે મોટો ખતરો છે.