ભારતને જી-7 મીટિંગમાં ગેસ્ટ તરીકે ન બોલાવા પર વિચાર કરતા હોવાના સમાચારોનું જર્મનીએ ખંડન કર્યું છે.
એક સમાચાર આવ્યા હતા કે, જી- 7 સમિટમાં ભારતને નહીં બોલાવે
જર્મનીએ આ બાબતે કરી મોટી સ્પષ્ટતા
ટૂુંક સમયમાં જ ભારતને ઔપચારિક રીતે આમંત્રણ મોકલવામાં આવશે
ભારતને જી-7 મીટિંગમાં ગેસ્ટ તરીકે ન બોલાવા પર વિચાર કરતા હોવાના સમાચારોનું જર્મનીએ ખંડન કર્યું છે. જર્મની તરફથી કહેવામાં આવ્યું છે કે, બર્લિન તરફથી સમિટમાં ભારતને ન બોલાવા પર વિચાર કરવાની વાત ખોટી છે. એટલુ જ નહીં જૂનમાં યોજનારા સમિટ માટે પણ ભારત ઉપરાંત કેટલાય અન્ય દેશોને બોલાવાની તૈયારી જર્મની તરફથી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જર્મનીએ અનૌપચારિક રીતે ભારતને આ વિશે જાણકારી આપી છે કે તેને જી- 7 ના ગેસ્ટ તરીકે આમંત્રિત કરવા પર વિચાર થઈ રહ્યો છે. આ સંબંધમા ટૂંક સમયમાં જ બર્લિન તરફથી ભારતને ઔપચારિક નિમંત્રણ આપવામાં આવશે.
G- 7 મીટિંગની જર્મની કરી રહ્યું છે અધ્યક્ષતા
જર્મનીમાં 26થી 28 જૂન વચ્ચે જી- 7 સમિટનું આયોજન થવાનું છે. તેમાં સેનેગલ, દક્ષિણ આફ્રિકા, ઈંડોનેશિયાને પણ આમંત્રણ આપવામાં આવશે. આ વર્ષે આ મીટિંગની અધ્યક્ષતા જર્મની કરી રહ્યું છે. આ વખતે સમિટમાં યુક્રેન પર રશિયાના હુમલાને લઈને ચર્ચા શક્ય છે. ત્યારે આવા સમયે જી- 7 અત્યંત મહત્વનું છે. આપને જણાવી દઈએ કે, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જર્મની તરફથી જી- 7 મીટિંગમાં ગેસ્ટ તરીકે ભારતને ન બોલાવા પર વિચાર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના હુમલાની ભારત તરફથી ટિકા ન કરવા પર જર્મની આ સંબંધમાં વિચાર કરી રહ્યું છે.
જર્મનીએ આ દાવાનું કર્યું ખંડન
આ રિપોર્ટ પર ભારત તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી, પણ જર્મની તરફથી તેનું ખંડન કરવામા આવ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, ભારતે યુક્રેન પર હુમલા મામલામાં તટસ્થતા અપનાવી રાખી છે અને શાંતિથી મુદ્દાનું હલ શોધવાની માગ કરી છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ રશિયાને માનવાધિકાર પરિષદમાંથી બહાર રાખવાના પ્રસ્તાવ પર થયેલા વોટિંગથી ભારતે ખુદને અલગ રાખ્યું હતું. ભારતે રશિયા પાસેથી સસ્તાભાવે ક્રૂડ ઓયલ ખરીદી પર સહમતી જતાવી હતી. જેને લઈને અમેરિકા અને યુરોપિય દેશોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે તેમને બરાબરનો જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે, યુરોપ જેટલું ઓયલ બપોર સુધી ખરીદે છે, એટલુ અમે એક મહિનામાં પણ નથી ખરીદતા.