રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લઇને ભારતના વલણની આંતરરાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે પ્રશંસા, જર્મનીએ ભારતનું કર્યુ સમર્થન
રશિયા-યુક્રેન વિવાદ પર જર્મનીનું નિવેદન
'ભારતની ડિપ્લોમસી શાનદાર'
' ભારત જાણે છે કે તેણે શું કરવું જોઇએ '
રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ અંગે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતના વલણ અંગે વાત કરતા ભારતમાં જર્મ રાજદૂત વૉલ્ટર જે લિંડનરે ભારતની પ્રશંસા કરી છે. તેઓએ કહ્યું કે ભારતની કુટનીતિક સેવા શાનદાર છે અને વૈશ્વિક વિશ્વ વ્યવસ્થાને જોઇને તેઓના રાજનાયિકોને ખબર છે કે આ મુદ્દે ભારતના વલણ અંગે શું કરવુ જોઇએ.
ભારતને જર્મનીનું સમર્થન
જર્મન એમ્બેસેડર વોલ્ટર જે. લિંડનરે યુક્રેન યુદ્ધ પર રશિયન રાષ્ટ્રપતિની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે પહેલા દિવસથી, પુતિન જૂઠું બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ હુમલો કરી રહ્યા નથી પરંતુ ત્યાં રશિયન લોકોને બચાવી રહ્યા છે અને હવે ગોળીબાર અને બોમ્બ ધમાકા થઇ રહ્યા છે. નાટો એક રક્ષા ગઠબંધન છે. અમે ક્યારેય આક્રમક રહ્યા નથી. ક્યારેક કોઇ વસ્તુ પર હુમલો કર્યો નથી.
ભારતના વલણની પ્રશંસા
બુધવારે યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીના વિરોધમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક પ્રસ્તાવ પર મતદાન કરવામાં આવ્યું. ભારત સહિત 34 દેશોએ આ દરમિયાન મત આપ્યો ન હતો. આ પહેલા પણ ભારતે યુએનજીએમાં યુક્રેન સંકટ પર વિશેષ કટોકટી સત્ર યોજવાના પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા વિરુદ્ધ મતદાનમાં પણ ભારતે વોટિંગ કરવામાં અંતર જાળવ્યુ હતું.
India has excellent diplomatic service, they know what to do... It's not about Ukraine or the EU, it is about the global world order...We all have to stand together against it...: Walter J Lindner, German Envoy to India on #UkraineCrisispic.twitter.com/jMdtoJY7K4
ચીન અને સંયુક્ત આરબ અમિરાત સાથે ભારત છેલ્લા અઠવાડિયે યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી વિરુદ્ધ અમેરિકા દ્વારા પ્રાયોજિત પ્રસ્તાવને પણ ટાળ્યો હતો. વધુમાં લિંડનરે કહ્યું કે વૈશ્વિક વ્યવસ્થા જુઓ. શું આપણે ઇચ્છીએ છીએ કે એક શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક પાડોશી દેશ પર આ પ્રકારે વ્યાપક અને આક્રમક હુમલો કરવો એ રમતનો નિયમ છે ? આ ભવિષ્યમાં દરેક વિવાદિત સીમા માટે હિંસાનો સહારો લેવાની મિસાઇલને કાયમ કરશે. આથી આપણે બધાએ પુતિન વિરુદ્ધ એકજૂછ થવું પડશે અને કહેવુ પડશે કે પુતિન આને રોકો.