જર્મનીની ચાંસલર એન્ગેલા મર્કેલે કાશ્મીરની પરિસ્થિતિને લઇને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે કાશ્મીરના લોકો જે પરિસ્થિતિમાં રહે છે તે ખુબ જ ચિંતાજનક છે. મર્કેલે કહ્યું કે, કાશ્મીરની પરિસ્થિતિ સુધારવાની જરૂર છે. ભારત પ્રવાસ પર આવેલ જર્મન ચાંસલર એન્ગેલા મર્કેલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરીશ.
મર્કેલે કહ્યું- પીએમ મોદી સાથે કરીશ કાશ્મીરની પરિસ્થિતિ પર ચર્ચા
3 દિવસના પ્રવાસે આવેલ જર્મન ચાંસલર એન્ગેલા મર્કેલ
આ દરમિયાન એન્ગેલાએ એમ પણ કહ્યું કે, તેઓ કાશ્મીર પર ભારતની સ્થિતિને જાણે છે, પરંતુ અહીં ગણકારતા નથી. જર્મન ચાન્સલરે કહ્યું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કાશ્મીરમાં શાંતિ અંગેના પ્લાન સાંભળવા માંગે છે. તેમણે કહ્યું કે હાલમાં કાશ્મીરની પરિસ્થિતિ સ્થિર નથી. તે લોકો કઠિન પરિસ્થિતિમાં વસી રહ્યા છે અને તેમને સુધરવાની જરૂર છે.
જણાવી દઇએ કે જર્મન ચાન્સલર એન્ગેલા મર્કેલ ત્રણ દિવસના ભારત પ્રવાસે છે. શુક્રવારે પીએમ મોદી સાથે મુલાકાત કર્યા પહેલા એન્ગેલા મર્કેલ રાજઘાટ ગઇ અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. શુક્રવારે પીએમ મોદી અને જર્મન ચાન્સલર મર્કેલની હાજરમાં ભારત અને જર્મનીએ અંતરિક્ષ સુરક્ષા, નાગરિક ઉડ્યન, તબિબિ સેવા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં કુલ 20 કરારો પર હસ્તાક્ષર પણ કર્યા.
પીએમ મોદીએ કર્યું ટ્વિટ
એન્ગેલા મર્કેલને મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે - 'આજે ચાન્સેલર મર્કેલ સાથેની વાતચીત ખૂબ વ્યાપક અને ફળદાયી રહી હતી. ભારત-જર્મની સંબંધો પર અમારી સારી ચર્ચા થઈ. ચાન્સેલર મર્કેલ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને આદરણીય નેતાઓમાં સામેલ છે. આ સાથે, તેઓ ભારતના સારા મિત્ર પણ છે.
આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોનો સામનો કરવા દ્વિપક્ષીય સહયોગ વધારવાનું વચન
બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જર્મન ચાન્સેલર એન્ગેલા મર્કેલ સાથે વિશાળ મુદ્દાઓ પર વાતચીત કર્યા બાદ કહ્યું કે ભારત અને જર્મનીએ એકબીજાને આતંકવાદ અને ઉગ્રવાદના જોખમોનો સામનો કરવા દ્વિપક્ષીય અને બહુપક્ષીય સહયોગ વધારવાનું વચન આપ્યું છે. વડાપ્રધાન મોદી અને મર્કેલ શુક્રવારે પાંચમા ભારત-જર્મન આંતર સરકારી સંવાદ (આઈજીસી) ના સહ અધ્યક્ષસ્થાને હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં મર્કેલનું સ્વાગત કર્યું હતું.