અલ્પેશના રાજીનામા મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેને અલ્પેશ પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને દાવો કર્યો હતો કે, અલ્પેશના જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે.
અલ્પેશના રાજીનામા મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે. ત્યારે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેને અલ્પેશ પર આડકતરી રીતે પ્રહાર કર્યા અને દાવો કર્યો હતો કે, અલ્પેશના જવાથી કોંગ્રેસને કોઈ ફેર નહીં પડે. સાથે જ કહ્યું કે, અત્યાર સુધીમાં કોંગ્રેસે અલ્પેશને ઘણું આપ્યું છે.
વીટીવી સાથે વાતચીતમાં ગેનીબેને પોતે કોંગ્રેસમાં રહીને કામ કરવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના જવાતી કોંગ્રેસને કોઈ ફરક નહીં પડે. બનાસકાંઠાને કોંગ્રેસે ઘણું આપ્યું છે. અલ્પેશ ઠાકોરને મહત્વના હોદ્દાઓ પર સ્થાન આપ્યું છે. તેમ છતાં તેમને શું ઓછું પડ્યું તે ખ્યાલ નથી.
તો બીજી તરફ ભાજપના ઉમેદવાર પરબત પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. અલ્પેશનું રાજીનામુ એ ભાજપને સમર્થન હોવાનો દાવો કર્યો.