નવી દિલ્હીઃ કેટલાક રાજ્યોમાં ખેડૂતોની દેવામાફી વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું કે સામાન્યીકૃત કૃષિ દેવામાફીની ક્રેડિટ કલ્ટર અને લેણદારના વ્યવહાર પર બહુ જ ખરાબ અસર પડે છે. આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે હાલમાં જ ત્રણ રાજ્યોમાં નવનિર્મિત સરકારોએ ચૂંટણીના વાયદા અનુસાર ખેડૂતોની દેવામાફીની જાહેરાત કરી છે.
ખેડૂતો માટે રાજ્ય સરકારો દ્વારા દેવામાફીને લઇને પૂછવામાં આવેલ સવાલ પર દાસે કહ્યું કે આ રાજ્ય સરકારોની નાણાકીય સ્થિતિ સાથે જોડાયેલ છે. તેમણે કહ્યું કે નવી સરકારોની પાસે નાણાકીય નિર્ણયો લેવાનો કાયદાકીય અધિકાર છે પરંતુ દરેક સરકારે દેવામાફી પર નિર્ણયો પહેલા સાવધાનીપૂર્વક પોતાના નાણાકીય સ્થિતિની તપાસ કરવી જોઇએ.
ખજાનામાં સંભવાના છે કે નહીં
ગવર્નરે કહ્યું કે રાજ્ય સરકારને આ પણ જોવું જોઇએ શું તેમના ખજાનામાં એટલા માટે સંભવના છે અને શું તેઓ બેંકોને તાત્કાલીક દેવાના પૈસા ચૂકવી શકે છે. સામાન્ય લોન માફીથી ક્રેડિટ કલ્ચર પર અસર પડે છે. સાથે જ આ દેવુ લેવા વાળાના ભવિષ્યના વ્યવહાર પર પણ અસર પડે છે.
આ રાજ્યોમાં ખેડૂતોની દેવામાફી
મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં 1.47 લાખ કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવુ બાકી છે. હાલમાં આ રાજ્યોએ ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી છે. 2017માં ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને પંજાપના ખેડૂતોનું બાકી દેવુ માફ કરવામાં જાહેરાત કરાઇ હતી. આ પહેલા આ જ વર્ષ કર્ણાટકની ગઠબંધન સરકારે પણ ખેડૂતોનું દેવુ માફ કર્યું છે.