ભારતીય રેલવેની તરફથી પોતાના કર્મચારીઓને બોનસની જાહેરાત કર્યા બાદ મોદી સરકારે બીજી એક દિવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે જનરલ પ્રોવિડેન્ટ ફંડ પર મળનારી વ્યાજ દરોનો વધારો કરી દીધો છો.
કેન્દ્ર સરકારે જીપીએપ સહિત એવી જ અન્ય સ્કીમ્સ પર મળતા વ્યાજ દરોમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ વધારાની સાથે જીપીએફ પર મળનાર વ્યાજ 8 ટકા થઇ ગયું છે. આ વ્યાજદરો 1 ઓક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018 માટે વધારવામાં આવી છે. એનો અર્થ છે કે જીપીએફ ધારકોને આ દરમિયાન વધારે વ્યાજ મળશે. પહેલા જીપીએફ પર 7.6 ટકા વ્યાજ મળતું હતું.
શું છે GPF
જનરલ પ્રોવિડેન્ટ ફંડ અથવા GPF એક પ્રોવિડેન્ટ ફંડ છે. આ માત્ર સરકારી કર્મચારીઓને મળે છે. હાલના સમયમાં એની પર મળતા વ્યાજના દર સરકાર તરફથી સમયાંતરે બહાર પાડવામાં આવે છે.
એક સરકારી કર્મચારી ત્યારે જ જીપીએફનો સભ્ય બને છે જ્યારે એ પોતાની સેલેરીમાં થી કેટલાક ટકાનું એમાં યોગદાન આપે છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીકની વાત કરીએ તો gpf પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું હતું. હવે આ વ્યાજ 8 ટકા થઇ ગયું છે.
એક સબ્સક્રાઇબર માસિક રીતે જીપીએફને સબ્સક્રાઇબ કરી શકે છે. જો કે એનો ફાયદો એને એ દરમિયાન મળશે નહીં જ્યારે એ નિલંબિત થાય. એક કર્મચારીના રિટાયર થવાથી 3 મહિના પહેલા જીપીએફ સબ્સક્રિપ્શન રોકી દેવામાં આવે છે.