શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી લખ્યું યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે લાગુ કરાશે
સ્પર્ધાત્મક [પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવાર માટે મોટો નિર્ણય
યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ થશે
સરકારી પરીક્ષા તૈયારીમાં મળશે મદદ
ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતાં લાખો વિદ્યાર્થીઑ માટે શિક્ષણ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે યુનિવર્સિટી કક્ષાએ સામાન્ય જ્ઞાન વિષય સામેલ કર્યો છે. આ નિર્ણયથી હવે યુનિવર્સિટી કક્ષાએ UG, PGના કોર્ષમાં હવે સામાન્ય જ્ઞાન સામેલ થશે. વર્ષ 2023-24થી જનરલ નોલેજ વિષયને કોર્સમાં સામેલ કરાશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે. મહત્વનું છે કે યુનિવર્સિટી કક્ષાએ આ જનરલ નોલેજનો વિષય મરજિયાત (વિદ્યાર્થી ઈચ્છે તો જ રાખી શકશે) વિષય તરીકે થશે લાગુ
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
વાઘાણીએ ટ્વીટ કરી શું જાહેરાત કરી?
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.