પુલવામાં હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાની વાત સ્વીકારી છે .જે બાદ ભાજપના નેતાઓ તો વિપક્ષ પર સવાલ ઉઠાવી રહ્યા હતા. જોકે હવે તો પૂર્વ આર્મી ચીફ અને મોદી સરકારમાં વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહે પણ વિપક્ષ પર હુમલો કર્યો છે. પાકિસ્તાનના કબૂલનામા પર વીકેએ કહ્યું કે એવું કહેનારા કે સરકારે જ હુમલો કરાવ્યો હતો અને એટલા માટે આ પહેલા પણ એક ભગવા આતંકવાદની વાત કરી હતી. એક તેનું મોટું રુપ બનાવવા ઈચ્છે છે. એવા લોકો પર જનતાએ ભરોસો ન કરવો જોઈએ પરંતુ તમને ખુલ્લા ચંપલથી મારવા જોઈએ.
એવા લોકો પર જનતાએ ભરોસો ન કરવો જોઈએ
આવા લોકોને જનતાએ ખુલ્લા ચંપલથી મારવા જોઈએ
પાકિસ્તાનના પ્રધાન ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામા હુમલો પાકિસ્તાને કરાવ્યો
14 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે પુલવામામાં સુરક્ષાકર્મીઓના કાફલા પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. વિપક્ષે મોદી સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પુલવામાના હુમલાની પાછળ મોદી સરકાર છે કેમ કે તે ચૂંટણી જીતવા માંગે છે. અબ્દુલ્લાએ કહ્યું કે ભારતે માંગ કરવી જોઈએ કે બાલાકોટ હુમલામાં નુકસાનના પુરાવાની તપાસ અને ખુલાસો કરવા સંયુક્ત રાષ્ટ્ર સમિતિનું ગઠન કરવામાં આવે.
શું કહ્યું પાકિસ્તાને...
પાકિસ્તાન ની ઇમરાન ખાન સરકાર ના પ્રધાન ફવાદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે પુલવામામાં CRPF ના કાફલા પર થયેલા હુમલામાં પાકિસ્તાન નો હાથ હતો. તેમણે કહ્યું કે પુલવામા હુમલો એ પાકિસ્તાન ની સફળતા છે. ફવાદ ચૌધરીએ પુલવામા હુમલાનું શ્રેય ઇમરાન ખાન અને તેમની પાર્ટી PTI તેમણે કહ્યું કે પુલવામા હુમલો ઇમરાન ખાન માટે એક સિદ્ધિ છે. જોકે તેઓ નિવેદનથી ફરી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર ના પુલવામામાં CRPF ના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. એક આત્મઘાતી બોમ્બરએ વિસ્ફોટકોથી ભરેલી કારને CRPF ના કાફલામાં ધકેલી દીધી હતી. આ બ્લાસ્ટમાં 40 સૈનિકો શહીદ થઈ ગઈ હતી. ફવાદ ચૌધરી પાકિસ્તાનના એ નેતા છે જે તેમના નિવેદનો માટે હાલ ચર્ચામાં છે. તેઓ ડર વખતે ભારત ને ધમકીઓ આપતા રહે છે અને છે મજાક ઉડાવે છે પરંતુ ઘણી વાર આજ ચક્કરમા તેમની જ બેઈજ્જતી થઈ જાય છે.