ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ
આ વખતે કેન્દ્ર સરકારે ચાર હસ્તીઓને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપ્યો છે જેમાં પ્રભા આત્રે (આર્ટ), રાધેશ્યામ ખેમકા (સાહિત્ય) જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ) અને કલ્યાણસિંહ (જાહેર બાબતો) સામેલ છે.
17 હસ્તીઓને પદ્મ ભૂષણ
કેન્દ્ર સરકારે 17 લોકોને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવાનું એલાન કર્યું છે જેમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, બંગાળના પૂર્વ સીએમ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, સાયરસ પુનાવાલા સહિતના બીજા લોકો સામેલ છે.
107 લોકોને પદ્મશ્રી
આ ઉપરાંત 107 લોકો માટે પણ પદ્મશ્રી પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
3 કેટેગરીમાં 128 પુરસ્કાર
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી એમ 3 કેટેગરી માટે કુલ 128 લોકોના નામની જાહેરાત કરવામા આવી છે.
માઈક્રોસોફ્ટના પ્રમુખ સત્યા નડેલા અને ગૂગલના CEO સુંદર પિચાઈને પદ્મ ભૂષણ પુરસ્કાર
કેન્દ્ર સરકારે માઈક્રોસોફ્ટના પ્રમુખ સત્યા નડેલા અને ગૂગલના CEO સુંદર પિચાઈને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે.