Gems Stone Rules:ગ્રહોના દોષને દૂર કરવા અને તેનુ શુભ ફળ મેળવવા માટે જ્યોતિષમાં રત્નોને એક ઉપાય છે, પરંતુ રત્નને ધારણ કરવાના નિયમ હોય છે. આવો તેના વિશે જાણીએ...
જ્યોતિષ અનુસાર કોઇ પણ ગ્રહની શુભતાને પામવાનું રત્ન એક અસરકારક ઉપાય છે
વ્યક્તિએ પોતાની ઇચ્છા મુજબ ક્યારેય કોઇ પણ રત્ન ધારણ ના કરવો જોઇએ
માન્યતા છે કે યોગ્ય દિવસે યોગ્ય રત્ન ખરીદવાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે.
Gems Stone Rules: જ્યોતિષ અનુસાર, કોઇપણ વ્યક્તિની કુંડળીમાં સ્થિત નવગ્રહ જ તેમનો સુખ અને દુઃખનું કારણ બને છે. ગ્રહોની ચાલ તેની ઊંચાઇના શિખર પર લઇ જાય છે તો ત્યાં ગ્રહોની અશુભતાના કારણે પળવારમાં આકાશ જમીન પર આવી શકે છે. જ્યોતિષમાં નવગ્રહોની શુભતાને પામવા અને અશુભતાથી બચવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવવામાં આવ્યા છે.
જ્યોતિષ અનુસાર કોઇ પણ ગ્રહની શુભતાને પામવાનું રત્ન એક અસરકારક ઉપાય છે, પરંતુ તેનો આ અર્થ એ નથી ક્યારેય કોઇ રત્ન ધારણ કરી લેવો. તો આવો રત્નોના શુભ પ્રભાવ મેળવવા અને તેનાથી થનારા નુકશાનથી બચવાના નિયમ જાણીએ...
1.જ્યોતિષ અનુસાર વ્યક્તિએ પોતાની ઇચ્છા મુજબ ક્યારેય કોઇ પણ રત્ન ધારણ ના કરવો જોઇએ. માનવામાં આવે છે કે, જ્યોતિષની સલાહ વિના કોઇ ખોટો રત્ન ધારણ કરવાથી તમારી મુશ્કેલીઓ દૂર થવાના બદલે વધી શકે છે. તેવામાં રત્ન ધારણ કરતા પહેલા જ્યોતિષની સલાહ લો, તેની સાથે પહેરવાના વિધિ-વિધાન પૂજા પણ કરો.
2.જ્યોતિષ અનુસાર, રત્ન ખરીદતી વખતે શુભ મુહર્ત અને દિવસનું વિશેષ ધ્યાન રાખવુ જોઇએ. જેમ કે, સોમવારના દિવસે મોતી, રવિવારે માણેક, બુધવારે પન્ના ખરીદવાનું શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે યોગ્ય દિવસે યોગ્ય રત્ન ખરીદવાથી વધારે લાભ પ્રાપ્ત થાય છે.
3. કોઇ પણ આંગળીમાં રત્ન જડાવતા સમયે ધ્યાન રાખો કે રત્ન તમારી ત્વચાને સ્પર્શ કરે. જો તમે રત્નને આંગળીઓમાં ધારણ કરવા જઇ રહ્યાં છો તો તેને યોગ્ય આંગળીમાં ધારણ કરો. આ ઉપરાંત આ વાતનું ધ્યાન રાખો કે રત્ન ધારણ કર્યા બાદ તેને વારંવાર ના કાઢો. વારંવાર રત્ન કાઢવાથી તેનો પ્રભાવ ઓછો થઇ જાય છે.
4. જ્યોતિષ અનુસાર તમે તમારી મનોકામનાઓ પૂરી કરવા માટે રત્ન ધારણ કરી શકો છો. તમે સારા સ્વાસ્થ્ય, સુખ, સૌભાગ્ય, કરિયર-કારોબાર માટે શુભ રત્ન ધારણ કરી શકો છો. આમ કરવાથી સમય પણ જ્યોતિષથી ઉચિત સલાહ જરુર લેવુ જોઇએ. નહીંતો તમને લાભની જગ્યાએ નુકશાન પણ થઇ શકે છે.
5.રત્ન ધારણ કરતી વખતે આ વાતનું હંમેશા ધ્યાન રાખો કે રત્ન ખંડિત એટલે કે ક્યાંકથી પણ તૂટેલુ, કે ડાઘ ના હોવો જોઇએ. માન્યતા છે કે દોષયુક્ત રત્ન ધારણ કરવાથી આ વ્યક્તિને શુભની જગ્યાએ અશુભ ફળ આપે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.