રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર સચિન પાયલટ પર આકરા પ્રહાર કર્યા છે. સોમવારે અશોક ગેહલોતે સચિન કોંગ્રેસની પીઠમાં છરી ભોંકનાર ગણાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમને નાની ઉંમરે ઘણું મળી ગયું હતું પરંતુ તેઓ જાણતા હતા કે, પાયલટ નક્કામા છે.
રાજસ્થાનનું રાજકારણ ગરમાયું
ગેહલોતે કહ્યું પાયલટ કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકનારા છે
તેમના માસુમ ચહેરાને કારણે અમે થાપ ખાઇ ગયા
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં રાજકીય સંકટ બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોત અનેક વખત સચિન પાયલટ પર આકરા પ્રહાર કરી રહ્યા છે. હવે સોમવારે અશોક ગેહલોતે કહ્યું હતું કે, અમે ક્યારેય સચિન પાયલટને લઇને સવાલ નથી કર્યા.
સચિનને તમામ સન્માન અપાયા છે
7 વર્ષની અંદર એક રાજસ્થાન એવું રાજ્ય છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ બદલવાની માગ કરવામાં આવી નથી. અમે જાણીએ છીએ કે તેઓ નક્કામા છે પરંતુ હું પણ અહીં રીંગણા વેચવા આવ્યો નથી. હું મુખ્યમંત્રી બનીને આવ્યો છું. અમે નથી ઇચ્છી રહ્યા કે તેમની વિરૂદ્ધ કોઇ કાંઇ બોલે, તેમને તમામ સન્માન આપ્યા છે.
He (Sachin Pilot) was conspiring from past 6 months with BJP's support. Nobody believed me when I used to say that conspiracy is going on to topple govt. Nobody knew that a person with such innocent face will do such thing. I'm not here to sell vegetables, I am CM: Rajasthan CM pic.twitter.com/Kk4TLJZ0v0
જ્યારે હું હાઇકમાન્ડને કહેતો હતો કે સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે ત્યારે કોઈએ મારો વિશ્વાસ નહોતો કર્યો, કોઈને ખબર નહોતી કે આવા નિર્દોષ ચહેરાવાળી વ્યક્તિ આવું કરશે.
ગેહલોતનો આરોપ - ભાજપ ફંડિંગ કરી રહ્યું છે
"एक छोटी खबर भी नहीं पढ़ी होगी किसी ने कि पायलट साहब को कांग्रेस प्रदेशाध्यक्ष के पद से हटाना चाहिए। हम जानते थे कि वो (सचिन पायलट) निकम्मा है, नकारा है, कुछ काम नहीं कर रहा है खाली लोगों को लड़वा रहा है": राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत pic.twitter.com/33lNUJ1xai
પૂર્વ ડેપ્યુટી સીએમ પર, સીએમ ગેહલોતે આરોપ મૂક્યો હતો કે જે રમત હાલમાં બની છે તે 10 માર્ચે યોજાવાની હતી. માનેસર ટ્રેન 10 માર્ચે નીકળી, પરંતુ તે પછી અમે તે બાબત બધા પાસે લાવ્યા. અશોક ગેહલોતે કહ્યું કે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ બનવા માંગે છે, મોટા કોર્પોરેટ્સ તેમને ભંડોળ પૂરું પાડે છે. ભાજપ દ્વારા ભંડોળ આપવામાં આવી રહ્યું છે, પરંતુ અમે આખા ષડયંત્રને નિષ્ફળ કરી દીધું છે.
રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યું કે દેશમાં આજે ગુંડાગીરી ચાલી રહી છે, ઈચ્છા મુજબ દરોડા પાડવામાં આવી રહ્યા છે. મને ખબર પડી ગઈ હતી કે બે દિવસ પહેલા મારા નજીકના લોકો પર દરોડા પાડવામાં આવશે. અશોક ગેહલોતે દાવો કર્યો હતો કે સચિન પાયલોટના સમર્થનમાં કેસ ચલાવી રહેલા તમામ વકીલો બધા મોંઘી ફી સાથે છે, તેથી તેમના પૈસા ક્યાંથી આવે છે. શું સચિન પાયલોટ બધા પૈસા ચૂકવી રહ્યા છે?