ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન આર નારાયણમૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે ભારતનો GDPમાં આઝાદી પછીનો અત્યાર સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિએ આપી ચેતવણી
કોરોનાના સંકટના કારણે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ
આ અગાઉ રેટિંગ એજન્સીઓ પણ આપી ચૂકી છે ચેતવણી
ઉલ્લેખનીય છે કે આ પહેલા તમામ રેટિંગ એજન્સીઓ શક્યતા વ્યકત કરી હતી કે કોરોના સંકટના કારણે ભારતનો GDPમાં 3 થી 9 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે. રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે જણાવ્યું છે કે કોરોનાના કારણે નાણાંકીય વર્ષ 2020-21માં ભારતની અર્થવ્યવસ્થામાં 5 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.
નારાયણ મૂર્તિએ મંગળવારે આશંકા વ્યક્ત કરી કે કોરોના વાયરસના કારણે આ નાણાંકીય વર્ષમાં આર્થિક ગતિ આઝાદી પછીની સૌથી ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ શકે છે. ન્યઝ એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું, અર્થવ્યવસ્થાને જલ્દી પાટા પર લાવવી જોઇએ. આ વખતે GDPમાં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળે તેવી સંભાવના છે.
નારાયણ મૂર્તિએ એક એવી નવી પ્રણાલી વિકસિત કરવા પર ભાર મૂક્યો જેમાં દેશની અર્થવ્યવસ્થાના દરેક ક્ષેત્રમાં દેરક વેપારીને પૂરી ક્ષમતા સાથે કામ કરવાની પરવાનગી હોય. નારાયણ મૂર્તિએ કહ્યું ભારતના GDPમાં ઓછામાં ઓછા 5 ટકાના ઘટાડાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. એવી આશંકા છે કે આપણે 1947ની આઝાદી પછીના સૌથી ખરાબ GDPના નેગેટિવ આંકડાને જોવા પડી શકે છે.