જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ગ્રાહકોની માંગ અને ખાનગી રોકાણોને કારણે ભારતનો વિકાસ દર 6 વર્ષથી વધુ નીચે જઈ શકે છે. સરકાર આજે GDPના સત્તાવાર આંકડા જાહેર કરશે. ગુરુવારે, નિષ્ણાતો વચ્ચે હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં દર્શાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ઘટીને 7.7 ટકા થઈ શકે છે.
આજે આવશે GDPના આંકડા
RBI ઘટાડી શકે છે રેપો રેટ
વૃદ્ધિ દર ઘટીને 7.7 ટકા થઈ શકે છે
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ચાર ટકાથી નીચે જઈ શકે છે
સર્વે અનુસાર વૈશ્વિક મંદીની અસર ભારતની નિકાસ પર નોંધપાત્ર થઈ છે. જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર પાંચ ટકા હતો, પરંતુ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં તે છેલ્લા 26 ક્વાર્ટરમાં સૌથી નબળો હોઈ શકે છે. 2018ના ક્વાર્ટરમાં તે સાત ટકાનો હતો. સરકારી સ્ત્રોતોને ટાંકતા કેટલાક મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ચાર ટકાથી નીચે જઈ શકે છે.
અગાઉ જાન્યુઆરી-માર્ચ 2013માં વિકાસ દર 3.3 ટકા હતો. મળતી માહિતી અનુસાર ગ્રાહક વપરાશમાં ઘટાડો શહેરી ક્ષેત્રનો વિકાસ દર ધીમો કરી શકે છે, જે તહેવારોની સીઝનમાં પણ પૂરતા ગ્રાહકો મળી રહ્યો નથી.
RBI ઘટાડી શકે છે રેપો રેટ
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરી શકે છે. 3થી 5 ડિસેમ્બરે થનારી એમપીસીની બેઠકમાં રેપો રેટ ઘટાડીને 4.90 ટકા કરી શકાય છે. સર્વેક્ષણ કરનારા મોટાભાગના અર્થશાસ્ત્રીઓ કહે છે કે સ્થાનિક દેવાની ધીમી ગતિ અને કંપનીઓના નફામાં ઘટાડો થવાના કારણે ભારતીય અર્થવ્યવસ્થા ગતિ પકડવામાં સમય લેશે.